
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ખોંખરુ કર્યા બાદ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આવતીકાલ 16મી મે શુક્રવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાત મુલાકાત દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ, પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં અનેકવિધ લોકોપયોગી કાર્યોનુ વિમોચન અને ખાતમૂર્હત કરશે.
16મીએ સાંજે દિલ્હીથી અમદાવાદ આવ્યા બાદ, તેઓ તેમના નિવાસસ્થાને જશે. જ્યારે 17 અને 18મી મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા, ચાંદલોડિયા, જોધપુર, સાબરમતી આરટીઓ, સરખેજ વિસ્તારમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે.
અમદાવાદના નારણપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે રૂપિયા 117 કરોડના ખર્ચે બનેલા પલ્લવ સ્પિલિટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ કેટલાક વિવાદમાં રહ્યાં બાદ, 18મી મેના રોજ લોકાર્પણ કરાતા, 132 ફુટના રોડ ઉપર થઈને હેલ્મેટ અને એઈસી ચાર રસ્તા તરફથી અખબારનગર, રાણીપ, વાડજ જનારાને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળવાની સાથે ખૂબ જ રાહત મળશે.
16 મે 2025
17 મે 2025
18 મે 2025
આ કાર્યક્રમ પતાવીને હેલિકોપ્ટર મારફતે ઘરે રવાના
બેઠક બાદ દિલ્હી જવાના
જુઓ વીડિયોઃ