AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: પોશીનાના અજાવાસ ગામે ત્રીપલ મર્ડરની ઘટના, પાંચ વર્ષના બાળક સહિત ત્રણની હત્યા

સાબરકાંઠા જિલ્લાના પોશીનાના અજાવાસ ગામે ત્રીપલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘટનામાં પાંચ વર્ષના બાળકનુ મોત નિપજ્યુ છે. બહેનના દીયરે જ ઘરે આવીને કુહાડીના ઘા ઝિક્યાંની ઘટના

Sabarkantha: પોશીનાના અજાવાસ ગામે ત્રીપલ મર્ડરની ઘટના, પાંચ વર્ષના બાળક સહિત ત્રણની હત્યા
| Updated on: Mar 16, 2023 | 11:14 AM
Share

સાબરકાંઠા જિલ્લાના પોશીનાના અજાવાસ ગામે ત્રીપલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘટનામાં પાંચ વર્ષના બાળકનુ મોત નિપજ્યુ છે. કૌટુંબિક ઝઘડાને લઈ અંગત અદાવાતને લઈ ઘર્ષણ સર્જાતા સામ સામે હુમલો કરતા બંને વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત ઘટનામાં એક બાળકે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે પોશીના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. ઘટનામાં એક આરોપી ઈજાગ્રસ્ત છે, જેની પર પોલીસ જાપ્તો રાખવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ મધ્યરાત્રીના અરસાદ દરમિયાન જીજણાટ ગામનો રમેશભાઈ ઉદાભાઈ બુબડીયા અજાવાસ ગામે આવેલો હતો. જેણે પોતાની ભાભીના ભાઈ પર હુમલો કર્યો હતો. રાત્રી દરમિયાન તેણે પોતાની ભાભીના ભાઈ લલ્લુભાઈ લાડુભાઈ ગમારને કુહાડીના ઘા ઝિંક્યા હતા. ઘટનામાં પિતા સાથે ખાટલામાં સુતેલા પાંચ વર્ષના કલ્પેશને પણ કુહાડીના ઘા ઝીંકીને ક્રુર હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે મરનાર લલ્લુભાઈના ભાઈ મકનાભાઈએ કરી દીધી હતી. બંનેએ સામસામે હુમલો કરતા મકનાભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે હત્યા કરવા આવેલો રમેશ બુબડીયા ખુદ પણ હત્યાનો શિકાર થયો હતો.

પોલીસ કાફલો ઘટના સ્થળે

મધ્યરાત્રીના અરસા દરમિયાન આ ત્રિપલ  મર્ડરની હત્યાની ઘટના સર્જાઈ હતી. ઘટના સ્થળેથી પોશીના પોલીસે બાળક સહિત ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઘટનાને લઈ ઈડર ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કાર્યવાહી ઝડપી બનાવી છે. ઈડર DySP સ્મિત ગોહિલે જણાવ્યુ હતુ કે, રાત્રી દરમિયાન આ ઘટના ઘટી હતી અને કુહાડીના ઘા ઝીંકીને લલ્લુભાઈને તેમની બહેનના દિયરે મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની સાથે સુઈ રહેલા તેમના પુત્રને પણ કુહાડીના ઘા ઝિંક્યા હતાં. જેમાં બંનેનુ મોત નિપજ્યુ હતુ. ઘટના દરમિયાન મૃતક લલ્લુભાઈના ભાઈ મકનાભાઈએ પણ વળતો હુમલો રમેશ પર કરતા તે પણ ત્યાં જ ઢળી પડ્યો હતો. મકનાભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી છે.

આગળ જણાવ્યુ હતુ કે, ઘટના સર્જાવાનુ મુળ કારણ શુ છે એ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. હાલમાં પ્રાથમિક રીતે કૌટુંબિક અદાવતનુ કારણ માનવામાં આવી રહ્યુ છે. પોલીસની ટીમ દ્વારા ઘટના અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે.

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">