સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગાંધીનગરની યુનિવર્સિટીમાં ‘સ્વતંત્રતા’ અંગે કહી આ વાત
ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે. આ નિવેદન અન્ય કોઈ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કર્યું છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં ન્યાયતંત્ર હોય, રાજકારણીઓ હોય કે પછી મીડિયા કોઈ સ્વતંત્ર નથી. ગાંધીનગર સ્થિત ગુજરાત નેશન લૉ યુનિવર્સિટીના એક લેક્ચરમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારે જજની કામગીરી સંભાળવાનો […]
ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે. આ નિવેદન અન્ય કોઈ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કર્યું છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં ન્યાયતંત્ર હોય, રાજકારણીઓ હોય કે પછી મીડિયા કોઈ સ્વતંત્ર નથી. ગાંધીનગર સ્થિત ગુજરાત નેશન લૉ યુનિવર્સિટીના એક લેક્ચરમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારે જજની કામગીરી સંભાળવાનો સમય આવશે ત્યારે ખબર પડશે કે ચુકાદો આપતા સમયે તમારા પર કેટલું પ્રેસર હોય છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, તમારે જજ પર વિશ્વાસ રાખવો પડે.
આ પણ વાંચોઃ અમદાવાદના એક પરિવારને ઘરમાંથી 101 વર્ષ જૂનો સાઉથ આફ્રિકાની પરમિટનો પાસપોર્ટ હાથ લાગ્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો