AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi : સોનગઢ તાલુકાના વડપાડાના ગ્રામજનો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે, ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને કરી રજૂઆત

લોકોની (People) સાથે સાથે ગાય ભેંસ જેવા પાલતુ પ્રાણીઓની હાલત પણ અત્યંત કફોડી થઇ જાય છે. જેથી તેમની સ્થિતિ પણ ખુબ ખરાબ થઇ ગઈ છે.

Tapi : સોનગઢ તાલુકાના વડપાડાના ગ્રામજનો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે, ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને કરી રજૂઆત
Water problem in Tapi district
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 3:35 PM
Share

તાપી(Tapi ) જિલ્લાના સોનગઢ તાલુકાના વડપાડા ગામના અલગ અલગ ફળિયામાં પીવાના પાણીની(Drinking Water ) સમસ્યા ભર ઉનાળે(Summer ) આકરી બની છે. હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ગામની અંદર આવેલા કુવા અને બોરમાં પાણી સુકાઈ ગયા છે. જેથી લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ બાબતે ગ્રામજનોએ સ્થાનિક પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની સામે રજૂઆતો પણ કરી હતી. પરંતુ હજી સુધી તેનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી.

નોંધનીય છે કે સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ લોકોને ઘર સુધી પીવાનું પાણી મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ યોજના પણ માત્ર કાગળ પર જ દોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સોનગઢના વડપાડા ગામના ટોકરવા ગામ નજીક પણ પીવાનું પાણી સરળતાથી મળતું નથી. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો છે.

હાલ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે લોકો ભર તાપમાં લાંબા અંતર સુધી આવેલા બેડવાણ ગામે પાણી ભરવા જાય છે. આ ગામમાં મોટા ભાગે આદિવાસી ભાઈ બહેનો રહે છે અને સિંચાઈની પણ પૂરતી સગવડ ન હોવાથી ચોમાસા સિવાય તેઓ અન્ય મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની તકલીફ હોવાથી લોકો સવારથી જ સાઇકલ અને બાઈક પર પ્લાસ્ટિકના કેરબા લઈને પાણી શોધવા નીકળી પડે છે.

સ્થાનિક રહેવાસીના જણાવ્યા પ્રમાણે ગામડામાં પાણીની લાઈન 10 વર્ષ પહેલા રાખવામાં આવી હતી અને અન્ય યોજનાની પાઇપ લાઈન સાથે જ જોડવામાં આવી રહી છે. એ સાથે જ આવી પાઇપ લાઈન જમીનમાં બે ફૂટ ઊંડે નાંખવાનો નિયમ છે છતાં તેને ઘોળીને પી જવામાં આવે છે. નળ કનેક્શન માટે પાઇપ લાઈન જમીનમાં માત્ર સાત આઠ ઇંચ ખોદીને નાંખવામાં આવી છે. આ કામગીરી છતાં પાણી મળતું નથી.

લોકોની સાથે સાથે ગાય ભેંસ જેવા પાલતુ પ્રાણીઓની હાલત પણ અત્યંત કફોડી થઇ જાય છે. જેથી તેમની સ્થિતિ પણ ખુબ ખરાબ થઇ ગઈ છે. લોકોની પણ એવી હાલત છે કે પાણી શોધવા જતા તેઓને મજૂરીના રૂપિયા પણ ગુમાવવા પડે છે. કારણ કે મોટા ભાગના સમય પાણીની શોધમાં નીકળી જાય છે.

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">