Gujarat Election 2022: નવા સંગઠનની જાહેરાત બાદ AAPમાં ભડકો, તાપી જિલ્લાના હોદ્દેદારોએ આપ્યા રાજીનામા

રવિવારે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના (Aam Aadami Party) નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 107માંથી 33 હોદ્દા સુરતને (Surat) ફાળવવામાં આવ્યા છે. જેની સામે આમ આદમી પાર્ટીના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

Gujarat Election 2022: નવા સંગઠનની જાહેરાત બાદ AAPમાં ભડકો, તાપી જિલ્લાના હોદ્દેદારોએ આપ્યા રાજીનામા
નવા સંગઠનની જાહેરાત બાદ AAPમાં ભડકો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 6:16 PM

આમ આદમી પાર્ટીના (Aam Aadami Party) નવા સંગઠનની જાહેરાતને હજુ એક દિવસ પણ થયો નથી અને આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે. નવા સંગઠનની જાહેરાત બાદ તાપી (Tapi) જિલ્લાના હોદ્દેદારોએ રાજીનામા (Resignation) આપી દીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા (Gopal Italia) અને ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) સામે કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાર્ટીમાં ટોચના નેતાઓની નારાજગી સામે આવી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓમાં નારાજગી

રવિવારે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 107માંથી 33 હોદ્દા સુરતને ફાળવવામાં આવ્યા છે. જેની સામે આમ આદમી પાર્ટીના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. તાપી જિલ્લાના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. બીજી તરફ પ્રદેશ મહામંત્રી જયદીપ પંડ્યા અને પ્રદેશ મંત્રી અભિષેક પટેલે આપનું વોટ્સએપ ગ્રુપ છોડી દીધુ છે. આપના કાર્યાલયમાંથી જયદીપ પંડ્યાના નામની પ્લેટ અને તસવીરો હટાવવામાં આવી છે. જેને લઈને નારાજ નેતાઓને સમજાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી દિવસોમાં વધુ રાજીનામા પડે તેવી શક્યતાઓ છે.

ઈસુદાન ગઢવીને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવ્યા

રવિવારે આપના પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઈસુદાન ગઢવીને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવ્યા છે, જ્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુને પણ નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવ્યા છે. આ ઉપરંત સાગર રબારીને આપ પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યા છે. જ્યારે ભેમા ચૌધરીને ઉપપ્રમુખમાંથી હટાવાયા છે. ભેમા ચૌધરીને સ્ટેટ કોઓપરેટિવ વિંગના પ્રમુખ બનાવ્યા છે. મનોજ સોરઠીયાને સ્ટેટ જનરલ સેક્રેટરી બનાવ્યા છે. ટોટલ 850 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ગામડા સુધી સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું. આ નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગઈકાલે આપના પ્રભારી ડૉ. સંદીપ પાઠકે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે સંગઠન બે પ્રકારના હોય છે, એક મોટું સંગઠન અને બીજું સ્વસ્થ સંગઠન. જે સંગઠન મોટું છે પણ તેમાં ટિકિટ અને હોદ્દા માટે ઝઘડા થાય છે, હું આવા સંગઠનને સ્વસ્થ નથી માનતો, આવું સંગઠન કોંગ્રેસ પાસે છે. અમારૂ જે સંગઠન છે તે એક સ્વસ્થ સંગઠન છે એટલે કે અમે જે સંગઠન ગામડે ગામડે બનાવ્યું છે, તેમાં લોકો કોઈપણ પ્રકારના લોભ અને લાલચથી મુક્ત માત્ર સંગઠન માટે કામ કરતા લોકો છે.

સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે. જે તે સમયે અમે ચોક્કસ ચહેરો જાહેર કરીશું. ઈસુદાન ગઢવીને રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપવામાં આવી છે. અમારું સંગઠન મોટું બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લેવલે પણ મોટી પાર્ટી બની છે, ત્યારે ઈસુદાન રાષ્ટ્રીય લેવલે નેતા છે અને તેઓ કરી શકે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">