Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર: વસ્તડી ગામની શાળામાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા નીપજ્યુ મોત, શાળા અને શિક્ષક સામે પરિવારના આક્ષેપ

સુરેન્દ્રનગર: વઢવાણના વસ્તડી ગામના શાળામાં વીજ કરંટ લાગવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. પરિવારજનોએ શાળા અને શિક્ષકો સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થી પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો અને વીજ કરંટ લાગતા તેનુ સ્થળ પર જ મોત થયુ હતુ.

સુરેન્દ્રનગર: વસ્તડી ગામની શાળામાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા નીપજ્યુ મોત, શાળા અને શિક્ષક સામે પરિવારના આક્ષેપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2024 | 12:03 AM

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા વસ્તડી ગામની શાળામાં ગમખ્વાર દુર્ઘટના બની. શાળાના 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વીજ કરંટ લાગી જતા મોત નીપજ્યું. જે બાદ પરિજનોમાં અને ગામના લોકોમાં શોકનો માહોલ છે. જેને લઇ શાળા અને શિક્ષક સામે પણ અનેક આક્ષેપ લાગી રહ્યા છે.

મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત

મળતી માહિતી મુજબ, સુમિત રૂદાતલા નામનો વિદ્યાર્થી શાળામાં હતો. ત્યારે પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીને વીજ કરંટ લાગ્યો અને સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે, મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યા છે કે, એક શિક્ષકે વિદ્યાર્થીને મોટર ચાલુ કરવા મોકલ્યો હતો. જે બાદ આ દુર્ઘટના બની છે. સાથે એવા પણ આક્ષેપ કર્યા કે વિદ્યાર્થીઓને શાળામાં ભણાવવાને બદલે મજૂરી કામ કરાવવામાં આવે છે.

મહત્વનુ છે, મૃતક વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડીને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જો કે ઘટનાને લઇ લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો છે. મૃતકના પરિજનો અને ગામના આગેવાને શાળાની બેદરકારી હોવાનું જણાવ્યું છે. ત્યારે સવાલ ઉભા થાય છે, શું શાળામાં બાળકોને ભણાવવામાં આવે છે કે મજૂરી કરાવાય છે? અને આ વિદ્યાર્થીનું મોત થયું તેનું જવાબદાર કોણ? તો, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શાળા કે શિક્ષકો સામે કોઇ તપાસ કાર્યવાહી થાય છે કેમ ?

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

યુવક યુવતીએ કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાતનો પ્રયાસ, યુવતીનું મોત

આ તરફ સુરેન્દ્રનગરમાં કેનાલમાં ઝંપલાવી યુવક-યુવતીએ આપઘાતનો કર્યો હતો. જેમા ડૂૂબી જવાથી યુવતીનું મોત થયુ છે જ્યારે યુવક સારવાર હેઠળ છે. યુવકે ધક્કો માર્યો હોવાથી યુવતીનું મોત થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.  યુવતીના પરિવારે યુવક સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. યુવક સામે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી યુવતીનો મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી બન્યા રોમેન્ટિક, વીડિયો આવ્યો સામે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
"કોંગ્રેસની વર્કિગ કમિટીમાં જિલ્લાધ્યક્ષોને વધુ સશક્ત બનાવવા ચર્ચા"
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">