Surendranagar: Amphotericin B ઈન્જેક્શનની કાળા બજારી કરતા 20 ઈન્જેક્શન સાથે 2ની ધરપકડ

ઇન્જેક્શનના ગોરખ ધંધામાં શહેરના અનેક લોકોના નામો ખુલે તેવી પોલીસનું માનવું છે. આ ઇન્જેક્શન નકલી છે કે અસલી તેની તપાસ માટે ડ્રગ્સ વિભાગને પુથ્થકરણ માટે મોકલી આપ્યા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 13, 2021 | 10:55 PM

Surendranagar: ઝાલાવાડમાં કોરોનાના કેસ ઘટતા લોકોમાં થોડી રાહત થઈ હતી, પરંતુ સામે મ્યુકર માઈકોસીસ (Mucormycosis)ના કેસો વધતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આ રોગને કાબુમાં લેવા દર્દીને આપવામાં આવતા એમ્ફોટેરિસીન બી (Amphotericin B) ઈન્જેક્શનનો કાળો કારોબાર જામ્યો છે. કાળાબજારી કરી રહેલા બે આરોપીઓને શહેર એ. ડીવીઝન પોલીસે 20 ઈન્જેક્શન સાથે ઝડપી લીધા છે.

 

 

સુરેન્દ્રનગર જીલ્લામાં વર્તમાન સમયે મ્યુકર માઈકોસીસના કેસો વધી રહ્યા છે. આ રોગની સારવાર માટે LOPOSOMAL AMPHOTERICIN-B ઈન્જેક્શન ખુબ જ મહત્વના હોય છે. પરંતુ દર્દીઓમાં આ ઈન્જેક્શનની માંગ વધુ હોવાથી કેટલાક શખ્સો કાળા બજારી કરી રૂપિયા રળી લેવાની લાહયમાં માનવતા નેવે મુકી દીધી છે.

 

Amphotericin B ઈન્જેક્શનની કાળાબજાર કરી વધુ રૂપિયા પડાવી લોકોની મજબુરીનો લાભ લેતા પણ લોભિયા અચકાતાં નથી. આ સારવાર માટે દર્દીને ઈન્જેક્શન આપવા જરૂરી હોય છે, ત્યારે દર્દીઓના સગાઓ પણ આવા કાળાબજારી કરતા લોકોનો ભોગ બને છે અને મોંઘા ભાવે ઈન્જેક્શન ખરીદતા કરતા હોય છે.

 

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ આવો જ એક ગોરખ ધંધો ચાલતો હોવાની પોલીસને જાણ થતા બાતમીદારોને કામે લગાડી અને તપાસ કરતા આ ગોરખ ધંધા શહેરના સી.જે. રોડ પર ચાલતો હોવાનું જાણવા મળ્યું. જેથી પોલીસની વોચ દરમિયાન શહેરમાંથી લીંબડી ખોડીયારનગરમાં રહેતા દલસુખ જેરામભાઈ પરમારને દબોચી તેની તલાસી લેતા મ્યુકરમાઈકોસીસની સારવારના 20 ઈન્જેક્શન મળી આવ્યા હતા.

 

પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ ઈન્જેક્શન હરસિધ્ધી પાર્કમાં રહેતા સમીર અબ્દુલભાઈ મનસુરી પાસેથી રૂપિયા 9 હજાર લેખે ખરીદ્યા હતા. જેથી પોલીસે છાપો મારી આરોપી સમીરને પણ ઝડપી લીધો હતો અને પુછપરછ હાથ ધરી હતી અને બન્ને આરોપીઓની અટકાયત કરી અને આ ઈન્જેક્શન કયાંથી લાવ્યા અને કોને કોને વેચ્યા, તેમજ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરી છે.

 

હજુ આ મ્યુકર માઈકોસીસ ઈન્જેક્શનના ગોરખ ધંધામાં શહેરના અનેક લોકોના નામો ખુલે તેવી પોલીસનું માનવું છે. હાલ તો દર્દીઓને લુંટતા આ બન્ને આરોપીઓ દલસુખ જેરામભાઈ પરમાર અને સમીર અબ્દુલભાઈ મનસુરીને ઝડપી પુછપરછ હાથ ધરી છે. તેમજ આ ઈન્જેક્શન નકલી છે કે અસલી તેની તપાસ માટે ડ્રગ્સ વિભાગને પુથ્થકરણ માટે મોકલી આપ્યા છે.

 

આ પણ વાંચો: Banaskantha: વડગામના મેમદપુર ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ, ભેખડ ધસી પડતા સર્જાઈ હતી દુર્ઘટના

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">