VNSGU નો કંગાળ કારભાર, એક દિવસ પહેલા જ પરીક્ષા રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન

ઓનલાઇન પરીક્ષામાં રેકનીકલ સમસ્યાઓ ઘણી બધી આવી રહી છે. છતાં સિન્ડિકેટ સભ્યો મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે એક દિવસ પહેલા જે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તેનાથી વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી છે તેના માટે જવાબદાર કોણ ? આ અંગે હજી કોઈ પાસે જવાબ નથી. 

VNSGU નો કંગાળ કારભાર, એક દિવસ પહેલા જ પરીક્ષા રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન
Who is responsible for the technical problems in the online examination conducted by VNSGU?(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 11:47 AM

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) દ્વારા ઓનલાઇન (Online )પરીક્ષાને બદલે ઓફલાઇન (Offline )પરીક્ષા લેવા અને ઓનલાઇન પરીક્ષાની કામગીરીમાં છબ૨ડા કંપની વિરુધ્ધ તપાસ કરવા માંગ કરવામાં આવી હતી . વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો . ભાવેશ રબારી દ્વારા કુલપતિ અને કાર્યકારી કુલસચિવને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સમગ્ર દેશ અને ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓફલાઇન લેવાતી હોય ત્યારે માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે છે . નર્મદ યુનિવર્સિટી દ્વારા અગાઉ લેવાયેલી પરીક્ષામાં પણ ટેકનિકલ સમસ્યાઓને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી .

અને વધારાની મોક ટેસ્ટ લેવામાં આવી હતી . આ વખતે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે . જેને પગલે 11 અને 12 તારીખની પરીક્ષા રદ કરી , વધારાની મોક ટેસ્ટ લેવામાં આવી છે . પરીક્ષાઓ છેલ્લી ઘડીએ રદ કરવાથી પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર થવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થવાની છે તેના માટે જવાબદાર કોણ ? સિન્ડિકેટ સભ્યો પણ મૂક પ્રેક્ષક બની ગયા છે . યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ઓફલાઇન પરીક્ષા લેવાનું શરૂ કરવું જોઇએ અને ઓનલાઇન પરીક્ષામાં છબરડા કરતી પૂણેની વીશાઇન ટેક . પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ નાણાકીય દંડ કરી તપાસની કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી માંગ કરવામાં આવી હતી .

બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની ઓનલાઇન પરીક્ષામાં 99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા નર્મદ યુનિવર્સિટીની બી.સી.એ , બી.એડ્ અને એમ.એ.ની પરીક્ષામાં 99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા . વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મોક ટેસ્ટમાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાવાના કારણે આર્ટસ , સાયન્સ અને કોમર્સ વિદ્યાશાખાની 11 અને 12 ફેબ્રુઆરીની પરીક્ષા રદ કરવામાં આવી છે . પરંતુ બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી . બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની ઓનલાઇન પરીક્ષા લેવાઇ હતી . જેમાં કુલ 11,097 વિદ્યાર્થીઓ નોંધાયા હતા . 10,980 વિદ્યાર્થીઓ હાજર અને 117 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા .

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આમ, ઓનલાઇન પરીક્ષામાં રેકનીકલ સમસ્યાઓ ઘણી બધી આવી રહી છે. છતાં સિન્ડિકેટ સભ્યો મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે એક દિવસ પહેલા જે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તેનાથી વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી છે તેના માટે જવાબદાર કોણ ? આ અંગે હજી કોઈ પાસે જવાબ નથી.

આ પણ વાંચો :

Surat : રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવશે નેશનલ લેવલનું હાઈ પરફોર્મિંગ સેન્ટર

લો બોલો ! 60 હજારનો પોપટ ચોરાયો, સુરતના ઉમરા પોલીસમાં કરવામાં આવી ફરિયાદ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">