AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાપડ પર GST વધારાને લઈ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું નિવેદન, કહ્યું પિયૂષ ગોયલની આગેવાનીમાં નાણાંપ્રધાનને રજૂઆત કરાશે

કાપડ-રેલવે મંત્રી દર્શના જરદોશની આગેવાનીમાં ચેમ્બર હવે આ પ્રશ્નને લઈને રજૂઆતોનો દોર ચલાવશે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રિય કોમર્સ મંત્રી પિયુષ ગોયલનો સમય લઈને દર્શના જરદોશની આગેવાનીમાં જીએસટીના પ્રશ્નને લઈને રજૂઆત કરવામાં આવશે.

કાપડ પર GST વધારાને લઈ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું નિવેદન, કહ્યું પિયૂષ ગોયલની આગેવાનીમાં નાણાંપ્રધાનને રજૂઆત કરાશે
Darshana Jardosh (File Photo)
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 05, 2021 | 2:52 PM
Share

કેન્દ્રીય કોમર્સ મંત્રાલય દ્વારા કાપડ(Textile) જીએસટીના(GST) દર 5 ટકાથી વધારીને 12 ટકા કરાયા છે ત્યારે હવે કાપડ અને રેલ્વે મંત્રી દર્શના જરદોશની(Darshna Jardosh)  આગેવાનીમાં રજૂઆતોનો દોર ચલાવાશે. ચેમ્બરનું ડેલિગેશન કેન્દ્રીય કોમર્સ મંત્રી અને નાણાં મંત્રીને (Finance Minister) રજૂઆત કરશે. ચેમ્બર, ફિઆસ્વી સહિત દેશભરના ટેક્સટાઈલ સંગઠનોએ જીએસટી રિપ્રેઝન્ટેશન કમિટીની રચના કરીને રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને પણ આ બાબતે રજૂઆત કરી છે.

આ ઉપરાંત દેશના તમામ રાજ્યોના નાણામંત્રી, સીએમને પણ જીએસટીના દરમાં થયેલા વધારાનો વિરોધ કરતો પત્ર લખવામાં આવ્યો છે.આ મામલે ઉદ્યોગાકારો હવે એક મંચ પર આવી ગયા છે અને સખત રીતે વિરોધ કરી રહ્યા છે. કાપડ-રેલવે મંત્રી દર્શના જરદોશની આગેવાનીમાં ચેમ્બર હવે આ પ્રશ્નને લઈને રજૂઆતોનો દોર ચલાવશે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રિય કોમર્સ મંત્રી પિયુષ ગોયલનો સમય લઈને દર્શના જરદોશની આગેવાનીમાં જીએસટીના પ્રશ્નને લઈને રજૂઆત કરવામાં આવશે.

જીએસટીના વધારાને લઈને બિઝનેસ પર કેટલી અને કેવી અસર પડશે તેનો ડેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યો છે. આ ડેટા કેન્દ્રિય મંત્રીને આપવામાં આવશે.કાપડમાં જીએસટી વધારાને લઈને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતુ કે કોઈપણ સમસ્યાનો હલ વાતચીતથી થાય છે.ચેમ્બર દ્વારા રજુઆત કરી છે તે મળી છે.

કાપડ મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમા ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને રજુઆત કરવામાં આવશે, કોર્મસ ઈન્ડસ્ટ્રી છે તે જીએસટીનો દર નકકી કરે છે. પિયુષ ગોલયે કહ્યું છે સ્ટોક હોલ્ડર સાથે વાતચીત કરવામાં આવશે. કાપડ મંત્રી દ્વારા તમામ સ્ટોક હોલ્ડરો કાપડ વેપારીઓ સાથે વાતચીત કરી નિવારણ લાવવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે લોકો બેદરકાર, એસ. ટી. સ્ટેન્ડ પર જોવા મળ્યા આ દ્રશ્યો

 આ પણ વાંચો : ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું આ મોટું નિવેદન

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">