SURAT : ટ્રાફિકજામની સમસ્યા ઉભા કરતા શહેરના મસમોટા ટ્રાફિક આઇલેન્ડ નાના કરવાની શરૂઆત

Problem of traffic jam in Surat : SVNIT જંક્શન હાલ તોડી નખાયું છે અને આગામી સપ્તાહ સુધી જંક્શનની સાઇઝ નાની કરી દેવામાં આવશે.

SURAT : ટ્રાફિકજામની સમસ્યા ઉભા કરતા શહેરના મસમોટા ટ્રાફિક આઇલેન્ડ નાના કરવાની શરૂઆત
Problem of traffic jam in Surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:58 PM

SURAT : સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા રસ્તા વચ્ચે આવેલા સ્મારકોની જગ્યા નાની કરવાની શરૂઆત કરવામાં આવી છે. ટ્રાફિક જામની સમસ્યાને કારણે SVNIT જંક્શન પર જમ્બો આઇલેન્ડ તોડી પાડવામાં આવ્યું છે. પાલ – ઉમરાને જોડતાં નદી બ્રિજને કારણે અડાજણ – પાલ તરફથી આવતાં ટ્રાફિકને પગલે SVNIT જંક્શન પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.

SVNIT જંક્શન પર ટ્રાફિક આઇલેન્ડની સાઇઝ ખૂબ જ મોટી હોવાથી ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસોમાં થઇ રહી છે. ઉમરા તરફના એપ્રોચ તરફથી આવતા અને પાર્લે પોઇન્ટથી પીપલોદ તરફ જતાં ટ્રાફિક વિશેષ રીતે પ્રભાવિત થઇ રહ્યું છે.

આ વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે SVNIT જંક્શન પર ફ્લાઇઓવર બ્રિજ બનાવવાની માગણી ઊભી થઇ હતી, પરંતુ આ માગણીને પગલે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા તજજ્ઞો પાસે જરૂરી સર્વે કરાવી જમ્બો સાઇઝના SVNIT જંક્શન આઇલેન્ડને નાનુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ અંગે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પરેશ પટેલે આ પ્રશ્નમાં વિશેષ રસ દાખવ્યો હતો અને SVNIT જંક્શન હાલ તોડી નખાયું છે અને આગામી સપ્તાહ સુધી જંક્શનની સાઇઝ નાની કરી દેવામાં આવશે. સ્થાનિકો અને આસપાસની સોસાયટીના રહીશો, સ્થાનિક કોર્પોરેટરો દ્વારા સુરત મહાનગરપાલિકાની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટ દ્વારા અઠવાગેટ જંક્શન આઇલેન્ડની સાઇઝ પણ નાની કરવાની માગણી કરવામાં આવી છે. જેથી નાનપુરા તરફથી આવતો ટ્રાફિક સીધો જ ડાઇવર્ટ થવાને બદલે અઠવાગેટ બાજુ જઇ શકે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે આ સૂચનના આધારે જરૂરી સર્વે કરી શક્યતા ચકાસવાની તૈયારી બતાવી છે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે જણાવ્યું કે ટ્રાફિકનું સરળીકરણ થઇ શકે તથા લોકોને બિનજરૂરી મોટો વળાંક લઇ આગળ જવું ન પડે તેવાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat, મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું

આ પણ વાંચો : SURAT : આખરે બે દિવસ બાદ વાદળછાયું વાતાવરણ બદલાયુ, સુર્યદેવતાના દર્શન થતા લોકોએ હાશકારો અનુભવ્યો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">