AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પોલીસ કમિશનર કચેરીમાં કેમ્પસમાં નાટકનું આયોજન, તમામ અધિકારીઓ સાથે કર્મચારીઓ હાજર રહ્યા

આપણી સમક્ષ અને સમાજની વચ્ચે મિત્ર મંડળ સબંધી અને માતા-પિતાનું યુવા પેઢી પર કેવી રીતનું વર્ચસ્વ હોવું જોઈએ, યુવા પેઢીમાં ફેરફાર આવી રહ્યો છે ત્યારે સમાજના અગ્રણી અને માતા-પિતા કઈ તકેદારી રાખે, તે નાટકના માધ્યમથી સમાજમાં એક સંદેશ આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

Surat: પોલીસ કમિશનર કચેરીમાં કેમ્પસમાં નાટકનું આયોજન, તમામ અધિકારીઓ સાથે કર્મચારીઓ હાજર રહ્યા
The play was organized on campus at the Surat Police Commissioner Office
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:07 AM
Share

સુરત (Surat) શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) ભવન ખાતે સાંજે સમાજ (Society) માં અલગ-અલગ મુદ્દાઓ પર થતી તકરારનો યુવતીઓમાં જે બદલાવ જોવા મળ્યો છે તે ઘટનાને આધારિત પોલીસ કમિશનર અજય તોમર સહિત ઉચ્ચ અધિકારી સાથે નાટક (play) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટક બીજે ક્યાં નહિ સુરત પોલીસ કમિશનર કચેરીના પેસેજમાં ભજવવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર તેમના પરિવાર સાથે આવ્યા હતા અને નાટક સાથે સંદેશ (Message) સાંભળ્યો હતા સાથે સુરતના જેસીપી શરદ સિંધલ, ડીસીપીઓ એસીપી અને પીઆઈઓ સાથે પોલીસ કાચેરીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

સુરત પોલીસ સતત લોકોમાં જાગૃત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે ત્યાં આજે સુરત જિલ્લામાં ચકચારીત હત્યા કેસ બાદ લોકોમાં જાગૃત લાવવા માત્ર સરકાર અને પોલીસ અને ગૃહ વિભાગ પણ સતત પ્રાયસો કરવામાં આવે છે ત્યાં આજે સુરત પોલીસ ભવન ખાતે સુરત પોલીસ કમિશનર દ્વારા પોતાના પરિવાર સાથે અને પોલીસ અધિકારીઓ સાથે પંકજ વોરા દ્વારા સમગ્ર નાટકનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.

આ નાટકમાં ખાસ કરીને ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચી ગયેલી ઘટનાનું પાત્રો દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું હતું તેમજ આપણી સમક્ષ અને સમાજની વચ્ચે મિત્ર મંડળ સબંધી અને માતા-પિતાનું યુવા પેઢી પર કેવી રીતનું વર્ચસ્વ હોવું જોઈએ, યુવા પેઢીમાં ફેરફાર આવી રહ્યો છે ત્યારે સમાજના અગ્રણી અને માતા-પિતા કઈ તકેદારી રાખે, તે નાટકના માધ્યમથી સમાજમાં એક સંદેશ આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

મા-બાપની નજર સામે છોકરાઓમાં બદલાવ થતો હોય છે. મિત્ર મંડળના મિત્રો અલગ રીતે વર્તન કરતા હોય છે ત્યારે કઈ રીતે તકેદારી રાખવી તેનો સંદેશ આપવવા માટે આ નાટક ભજવવામાં આવ્યું હતું.

આ સંદર્ભે પોલીસ કમિશનર અજયકુમાર તોમર જણાવ્યું હતું કે સુરત રૂલરમાં થયેલી ઘટનાને પગલે મહિલાની સુરક્ષા બાબતે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા તેમજ માદક પદાર્થનું સેવન કરવાના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને નાટકના દ્વારા સમાજમાં એક સારો સંદેશો મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓની સુરક્ષાને લઇને પોલીસ કમિશનરે સુરત શહેરમાં સ્કૂલ અને કોલેજોમાં ખાસ મહિલા કોન્સ્ટેબલ દ્વારા ટ્રેનિંગ આપવાનો પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે જેથી કરીને આવી કોઈ ઘટના થતી હોય ત્યારે મહિલાને મળેલી ટ્રેનિંગનો ઉપયોગ કરીને હુમલો કરનાર વ્યક્તિથી પોતાને બચાવી શકાય છે.

આ પણ વાંચોઃ Kutch: રેલ્વે રેક ફાળવવા રેલ્વે મંત્રીને ભલામણ કરવા બેન્ટોનાઇટ ઉદ્યોગની માંગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

આ પણ વાંચોઃ Banaskantha : મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને રણશીંગુ ફૂંક્યું, ચૂંટણીના બહિષ્કારની ચીમકી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">