Surat : સગરામપુરાના ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન, સોમવારે કરાશે અંતિમ સંસ્કાર

સુરતના સગરામપુરા ખાતે આવેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથ મહારાજનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. મહંતને છેલ્લા બે ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Surat : સગરામપુરાના ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન, સોમવારે કરાશે અંતિમ સંસ્કાર
Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 04, 2023 | 9:37 AM

Surat : સુરતના સગરામપુરા ખાતે આવેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથ મહારાજનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. મહંતને છેલ્લા બે ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન છાતિમાં દુખાવા બાદ અચાનક મોત થતા ભક્તોમાં પણ શોકનો માહોલ છવાયો છે. મહંતના અંતિમ સંસ્કાર આગામી સોમવારે કરવામાં આવશે. મહંતના પુત્ર અમેરિકાથી આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat: ફૂડ વિભાગ એક્શન મોડમાં, શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

મહંતની હાર્ટ એટેકના કારણે નિધન થયું

સુરતમાં સંકટ મોચનના સૌથી પૌરાણિક મંદિર સગરામપુરા વિસ્તારમાં 350 વર્ષો જૂનું હનુમાનજીનું ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલું છે. સંકટ મોચન હનુમાન ક્ષેત્રપાલ સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન થયા છે. હનુમાનજી સાથે કાલ ભૈરવ દાદા અને બટુક ભૈરવનું સ્વયંભૂ પ્રાગટય થયા હોવાનું માનવામાં આવે છે. આ સાથે ક્ષેત્રપાળ ભૈરવની સ્થાપના કરવામાં આવી. અહીંની ક્ષેત્રપાળ હનુમાન દાદા સાથે કાલ ભૈરવ અને શ્રી બટુક ભૈરવની સ્વયંભૂ પ્રતિમા સંપૂર્ણ સિંધુરમાં જોવા જોવા મળે છે. આ મંદિરના મહંત રાકેશનાથ મહારાજ હતા. જેમનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જેથી ભક્તોમાં શોક છવાયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સોમવારે અંતિમ સંસ્કાર કરાશે

રાકેશનાથ મહારાજના પિતા પહેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત હતા. ત્યારબાદ તેમનું નિધન થતાં પુત્ર રાકેશનાથ મહારાજ મહંત બન્યા હતા. જેમને બે પુત્રો છે. પ્રતિક મહારાજ હાલ ક્ષેત્રપાલ મંદિરમાં જ મહંત છે જ્યારે નાનો પુત્ર અમેરિકામાં રહે છે. 52 વર્ષીય રાકેશનાથ મહારાજનું નિધન થતાં તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. નાનો પુત્ર અમેરિકાથી આવ્યા બાદ સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મંદિરમાં શનિવાર અને મંગળવારે ભીડ જોવા મળે છે

આ મંદિર ભક્તો માટે ખૂબ જ આસ્થા માધ્યમ બની રહ્યું છે. દૂર દૂરથી અહીં ભકતો દર્શન માટે આવે છે. સંકટ મોચન આ ક્ષેત્રપાલ દાદા ભક્તોની પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અનેક ભક્તો પોતાની બાધા અને માનતા માનવા અહીં આવે છે. ખાસ કરીને શનિ અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ક્ષેત્રપાલ દાદાના આ મંદિરની સાથે ભગવાન શિવનું મંદિર પણ આવેલુ છે. સાથે ભગવાન શનિ દેવાનું મંદિર પણ છે. ભક્તો ક્ષેત્રપાળ દાદાના દર્શન કરી ભોલેનાથ અને શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">