AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન દ્વારા હવે કોલેજ પરિસરમાં તમાકુ મુક્ત વાતાવરણ ઉભું કરવા પ્રયાસ

તમાકુના વ્યસનને કારણે થતા નુકસાનની યુવાનોને જાણકારી આપવાની સાથે જ સમયાંતરે જાગૃતિ શિબિર , કાર્યક્રમો યોજવા જોઇ એ . યુનિવર્સિટી અને કોલેજો દ્વારા તે દિશામાં પોસ્ટર પ્રેઝન્ટેશન સહિતના કાર્યક્રમો યોજીને યુવાનોમાં જાગૃતિ લાવવી જોઇએ .

Surat : યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન દ્વારા હવે કોલેજ પરિસરમાં તમાકુ મુક્ત વાતાવરણ ઉભું કરવા પ્રયાસ
University Grants Commission is now trying to create a tobacco free environment in the college campus(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 8:39 AM
Share

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા છેલ્લા બે વર્ષમાં વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશથી(Admission ) માંડીને પરિણામ સુધીની પ્રક્રિયામાં ધડમૂળથી બદલાવ કરાયા છે . તે સાથે જ યુવાનોમાં (youth )સામાજિક જવાબદારી પ્રત્યે સભાનતા આવે એવા પ્રયાસો પણ થઇ રહ્યા છે . આવા જ પ્રયાસના ભાગરૂપે યુનિવર્સિટી અને કોલેજ પરિસરમાં તમાકુમુક્ત વાતાવરણ ઊભું કરવાની હાકલ કરાઇ છે .

શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 યાર્ડમાં તમાકુના વેચાર પ્રતિબંધ હોવાના ઉલ્લેખ સાથે જ યુવાનોમાં જાગૃતિ માટે પ્રયાસ કરવાની તાકીદ કરતો પરિપત્ર જાહેર કરાયો છે .યુજીસીના પરિપત્રમાં જણાવ્યા મુજબ , તમાકુના વ્યસન પર નિયંત્રણ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા હોય યુજીસી દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અને યુવાનોમાં તમાકુ પ્રત્યેની સભાનતા , જાગૃતતા કેળવાઇ એ માટે વિશેષ પ્રયાસો કરાયા છે .

કાયદા મુજબ જાહેર સ્થળોએ વ્યસન પર પ્રતિબંધ હોવાની સાથે જ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 યાર્ડમાં પણ તમાકુનું વેચાણ થઇ શકતું નથી . આ સહિતની બાબતોએ યુવાનોમાં જાગૃતિ આવે એ માટે યુનિવર્સિટી અને કોલેજો દ્વારા વિશેષ પ્રયાસો થવા જોઇ એ . ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં તમાકુમુક્ત વાતાવરણ ઊભું થાય એની જવાબદારી સંસ્થાઓની છે . તે માટે જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે .

તમાકુના વ્યસનને કારણે થતા નુકસાનની યુવાનોને જાણકારી આપવાની સાથે જ સમયાંતરે જાગૃતિ શિબિર , કાર્યક્રમો યોજવા જોઇ એ . યુનિવર્સિટી અને કોલેજો દ્વારા તે દિશામાં પોસ્ટર પ્રેઝન્ટેશન સહિતના કાર્યક્રમો યોજીને યુવાનોમાં જાગૃતિ લાવવી જોઇએ . કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં તમાકુ મુક્તિની જાગૃતિ કેળવવા માટે આ વિશેષ પ્રયાસો હાથ ધરવાાં આવ્યાં છે . જેમાં વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમો આગામી દિવસોમાં કરશે .

આમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી અને યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં તમાકુમુક્ત વાતાવરણ ઉભું કરવા યુજીસી એ હાકલ કરી છે. અને વ્યસન સંદર્ભે તકેદારી સાથે યુવાનોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. જે એક આવકારદાયક પહેલ કહી શકાય.

આ પણ વાંચો :

Surat : ન. પ્રા. શિક્ષણ સમિતિના સભ્યોને, કોર્પોરેટરોની જેમ 12 લાખના ખર્ચે કરાશે લેપટોપની લ્હાણી

Surat : મંકી કેપ પહેરીને મોટરસાઇકલ પર મોબાઈલ અને ચેઇનની લૂંટ કરતા બે પકડાયા, બીજા 16 ગુના ઉકેલાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">