AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : તિબેટીયનોએ ગરમ કપડાંનું બજાર શરૂ કર્યું, પણ આ વર્ષે પણ ખોટનો ધંધો, જાણો કેમ ?

છેલ્લા એક મહિનાથી શરૂ થયેલ આ તિબેટીયન માર્કેટ ના રોજીરોટી માટે આવતા તિબેટીયન લોકોએ જગ્યા બદલાવાથી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કોરોના ના કારણે આ વર્ષે સ્ટોલ ધારકો પણ ઓછા આવ્યા છે.

Surat : તિબેટીયનોએ ગરમ કપડાંનું બજાર શરૂ કર્યું, પણ આ વર્ષે પણ ખોટનો ધંધો, જાણો કેમ ?
Tibetans Market
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 30, 2021 | 6:51 PM
Share

સુરતમાં (Surat) છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી બાદ ગાંધી બાગ ખાતે તિબેટીયનો(Tibetian) ગરમ કપડાનું(Winter Cloth) બજાર લગાવતા હોય છે. જો કે હાલના સમયમાં ગાંધી બાગ પાસે મેટ્રો નું કામ ચાલી રહ્યું છે. જેના કારણે છેલ્લા 17 વર્ષ થી ભરાતું તિબેટીયન માર્કેટ આ વર્ષે ચોકબજાર ગાંધી બાગ પાસે નહિ પણ અડાજણ પાટિયા રિવરફ્રન્ટ(Riverfront)  ખાતે ભરાઈ રહ્યું છે.

પંરતુ છેલ્લા એક મહિનાથી શરૂ થયેલ આ તિબેટીયન માર્કેટના રોજીરોટી માટે આવતા તિબેટીયન લોકોએ જગ્યા બદલાવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાના કારણે આ વર્ષે સ્ટોલ ધારકો પણ ઓછા આવ્યા છે.

દિવાળી પછી મોટાભાગે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. અને ઠંડીની સિઝનની શરૂઆત થતાં જ તિબેટીયનો સુરતમાં પોતાનો ધામો નાખી દેતા હોય છે. અત્યારસુધી તીબેટીયન ગાંધી બાગ ખાતે જ પોતાનું બજાર લગાવતા હતા .પરંતુ ગાંધીબાગ પાસે મેટ્રોનું  કામ ચાલી રહ્યું હોવાથી આ વખતે તિબેટીયનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ પાટીયાની સામે ખાલી જગ્યા આ ગરમ કપડાંનું બજાર ભરવા માટે જગ્યા આપવામાં આવી છે.

છેલ્લા એક મહિનાથી તિબેટીયનો દ્વારા ભરાતા ગરમ કપડાના બજાર ની શરૂઆત થઇ ગઇ છે. તેમ છતાં જગ્યા બદલાઇ જવાના કારણે તિબેટીયન લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ત્યાંના સ્ટોલ ધારકોએ એ કહ્યું કે “અમે વર્ષોથી ગાંધી બાગ પાસે બજાર ભરતા હતા. પણ આ વર્ષે આ નવી જગ્યા છે અમારા માટે અને સુરતના લોકોને પણ આ જગ્યા અંગે ખબર નથી.

તો બીજી તરફ આજુબાજુ પણ વિસ્તાર એવો છે જેના કારણે લોકો અહીં આવવાનું ટાળતા હોય છે.કોરોનાના કારણે ગયા વર્ષે તો અમારો ધંધો જ થયો ના હતો અને આ વખતે જગ્યા બદલવાથી પણ અમને નુકશાન જ છે.દર વર્ષે અમે 54 પરિવાર અહીં સ્ટોલ લગાવતા હોઈએ છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અમે ફક્ત 47 પરિવાર જ આવ્યા છે. સ્ટોલ પણ દરવર્ષ કરતા ઓછા લાગ્યા છે.જો આ વર્ષે પણ આ પરિસ્થિતિ રહી તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમારે નુકશાન જ વેઠવું પડશે.

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નેતાઓ જ કરવા લાગ્યા આક્રમક નેતૃત્વની માંગ

આ પણ વાંચો : AMC એઇડસ કંન્ટ્રોલ સોસાયટીની 4 વર્ષમાં મહત્વની સફળતા, અમદાવાદમાં સેક્સવર્કર્સ, ટ્રકર, અને ટ્રાન્સજેન્ડરમાં HIV નો એક પણ કેસ નહીં

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">