SURAT: યોજાયેલા અનોખા ગૌ વિવાહમાં લોકોને કોરોનાની કોઈ ગાઈડલાઈન નડી નહિ, હજારો લોકોએ લીધો ભાગ

ઉત્તરાયણના દિવસે યોજાયેલા આ લગ્ન પ્રસંગે 5 હજારથી વધુ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી અને લગ્નમાં ભાગ લીધો હતો. એક અંદાજ પ્રમાણે અહીં 10,000 લોકો માટે ભોજન પણ તૈયાર કરવામાં આવ્યું હતું

SURAT: યોજાયેલા અનોખા ગૌ વિવાહમાં લોકોને કોરોનાની કોઈ ગાઈડલાઈન નડી નહિ, હજારો લોકોએ લીધો ભાગ
Surat: Thousands of people took part in the unique cow wedding held in Surat without any guideline of corona.
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 16, 2022 | 12:51 PM

રાજ્યભરમાં કોરોના (Corona) ની ત્રીજી લહેર કહેર વર્તાવી રહી છે. ત્યારે આ સંક્રમણને કાબુમાં કરવા માટે સરકારે અનેક પ્રતિબંધો લાદયા છે. જેમાં લગ્નપ્રસંગ (Wedding) માં વ્યકિતઓની મર્યાદા 400 થી ઘટાડીને 150 કરવામાં આવી છે. સુરતના કામરેજ (Kamrej) તાલુકાના લાડવી ગામે યોજાયેલા એક ગૌ વિવાહમાં અંદાજે 5 હજાર કરતા પણ વધુ લોકો જોડાયા હતા.

અહીં કોરોનાનો કોઈ કાયદા કે નિયમ લાગુ પડ્યું હોય તેવું દેખાયું ન હતું. આ ગૌ વિવાહ 14 જાન્યુઆરી શુક્રવારના રોજ યોજાયા હતા. બે વાછરડાનાં જ્યારે લગ્ન થયાં, ત્યારે અહીં હજારો લોકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેઓ નવદંપતીને આશીર્વાદ આપવા માટે શહેરના છેવાડે આવેલા લાડવી ગામમાં ગૌશાળામાં ઉમટી પડ્યા હતા.

ઉત્તરાયણના દિવસે યોજાયેલા આ લગ્ન પ્રસંગે 5 હજારથી વધુ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી અને લગ્નમાં ભાગ લીધો હતો. એક અંદાજ પ્રમાણે અહીં 10,000 લોકો માટે ભોજન પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને દરેકે આ પ્રસંગનો આનંદ માણ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ગૌ વિવાહ શંખેશ્વર, એક નર વાછરડું, અને ચંદ્રમૌલી, એક માદા વાછરડા વચ્ચે થયા હતા. મહારાજના સ્વપ્નને સાકાર કરવા આ કાર્યક્રમ યોજાયો હતો.

લાડવી ગામમાં શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ટ્રસ્ટ (SONMT) દ્વારા સંચાલિત ગૌશાળામાં ઉજવવામાં આવ્યો હતો, જ્યાં અમરોલીના ગાંધારી આશ્રમ ગૌશાળામાંથી માદા વાછરડાને લાડવી લાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ગાંધારી આશ્રમના પિપલદગીરી મહારાજે ગાય ઉછેર અંગે જાગૃતિ લાવવા માટે જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવાના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો.

“પિપલદગીરી મહારાજે ગૌ વિવાહનું આયોજન કરવાનું સપનું જોયું હતું અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવી જોઈએ તેવી ઈચ્છા રાખી હતી. લગ્નની તમામ પરંપરાગત રમઝટ વચ્ચે માદા વાછરડાને સ્થળ પર લાવવામાં આવી હતી. લગ્નની ભેટની વાત કરીએ તો, ચાંદીના પાયલ, માથાના ટીકા અને કમરનો પટ્ટો પણ મહેમાનો દ્વારા આપવામાં આવ્યો હતો.

જોકે એકતરફ હાલ કોરોના સંક્રમણ સૌથી વધારે છે તેવામાં ધાર્મિક મેળાવડા, જાહેર સામાજિક રાજકીય પ્રસંગો માં લોકોની હાજરી મર્યાદિત કરાઈ છે તેવામાં આવા કાર્યક્રમો કોરોના સંક્રમણની સ્પીડ હજી વધારી શકે છે.

આ પણ વાંચોઃ Surat : હજીરામાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ઉભું કરાશે, જમીન ફાળવવા સરકારની મંજૂરી

આ પણ વાંચોઃ Surat: એક વર્ષમાં 34.32 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે મહાનગરપાલિકાની 122.75 ટકા સિદ્ધિ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">