AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દિવાળીમાં ગરીબ પરિવારના ચહેરા પર ખુશી લાવવા સુરતનું આ ગ્રુપ વહેંચી રહ્યું છે “Smiling Kit”

છેલ્લા છ વર્ષથી તેઓ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે દિવાળીનો સાચો અર્થ તેમના માટે ત્યારે જ સાર્થક થાય છે જયારે તેમના પ્રયત્નોથી કોઈની દિવાળી સુધરે અને પરિવારમાં ખુશીઓ આવે.

Surat : દિવાળીમાં ગરીબ પરિવારના ચહેરા પર ખુશી લાવવા સુરતનું આ ગ્રુપ વહેંચી રહ્યું છે Smiling Kit
Surat - "Smiling Kit"
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:42 PM
Share

દિવાળીનો (Diwali) પર્વ એ માત્ર દીવડાનો કે રોશનીનો પર્વ નથી. પણ સાચા અર્થમાં અન્યના જીવનમાં રહેલા અંધકારને પણ દૂર કરવાનો દિવસ છે. આપણે જાણીએ છીએ તેમ કોરોનાના સમય પછી ઘણા લોકોના નોકરી ધંધા પર અસર પડી હતી. ઘણા લોકોને નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. તેવામાં નાના અને ગરીબ વર્ગના પરિવારોને સૌથી મોટો ફટકો આ કોરોના સમયમાં પડ્યો છે.

આજે કોરોનાના કેસો ઘટવાથી લોકોને અને તંત્રને પણ મોટી રાહત થઇ છે. છતાં ઘણા ગરીબ અને પછાત પરિવારો એવા છે જે તેમાંથી બહાર આવી શક્યા નથી. તેવામાં આવા પરિવારો કે જેઓ દિવાળી ઉજવવા સક્ષમ નથી તેવા પરિવારો અને બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સુરતનું એક ગ્રુપ સ્માઈલ કીટ (Smile Kit) વહેંચી રહ્યું છે.

દિવાળીના સમયમાં લોકો જાતજાતના ફરસાણ બનાવે છે, મીઠાઈઓ આરોગે છે, તેવામાં સુરતના સોશિયલ રમી ગ્રુપ જે છેલ્લા ઘણા વર્ષથી વિવિધ સાત જેટલા પ્રોજેક્ટ પર સેવાકાર્ય કરે છે, તેમનો એક પ્રોજેક્ટ છે “પ્રોજેક્ટ અન્ન સાથી.” આ પ્રોજેક્ટ અંતર્ગત તેમના દ્વારા છેલ્લા છ વર્ષથી દિવાળી મહાપર્વમાં જે લોકો દિવાળી ઉજવવા સક્ષમ નથી તેવા જરૂરિયાતમંદ અને નિરાધાર પરિવારના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસ માટે સ્માઈલ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેઓ અન્ય લોકો પાસેથી પસ્તી પેપર ઉઘરાવે છે અને તેમાંથી જે પણ કંઈ રકમ પ્રાપ્ત થાય છે, તેનાથી તેઓ સ્માઈલ કીટ માટે વસ્તુઓ ખરીદે છે. આ સ્માઈલ કીટમાં નાનખટાઈ, મીઠાઈ, ફરસાણ, ગાંઠિયા અને ભાખરવડી જેવી વસ્તુઓ રાખવામાં આવે છે. આ પેકીંગ પ્રક્રિયા પાંચ દિવસ સુધી ચાલે છે.

ગ્રુપના બધા જ મેમ્બરો એક સ્થળે ભેગા થઇ આ કીટ પેકીંગ કરવાનું કાર્ય કરે છે અથવા તો એમ કહીએ કે લોકોના ચહેરા પર એક નાનું સ્મિત લાવવા તેઓ આ સ્માઈલ કીટ ભરે છે. પાંચ દિવસ બાદ આવી સ્માઈલ કીટ તૈયાર થઇ જાય તે પછી તેને અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવે છે.

ગ્રુપના સભ્યોને આ કાર્ય કરવામાં અનહદ આનંદ આવે છે. છેલ્લા છ વર્ષથી તેઓ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે દિવાળીનો સાચો અર્થ તેમના માટે ત્યારે જ સાર્થક થાય છે જયારે તેમના પ્રયત્નોથી કોઈની દિવાળી સુધરે અને પરિવારમાં ખુશીઓ આવે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">