Surat: ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો ચોર દ્વારા મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ, મોબાઈલ બચાવવા ટ્રેનમાંથી નીચે પટકાતાં ગંભીર ઈજા

પેસેન્જર ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો ચોરે મોબાઇલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો જે બનાવમાં મોબાઈલ બચાવવા જતાં 30 વર્ષીય યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો. ટ્રેનની અડફેટે આવતા જમણો પગ કપાતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો.

Surat: ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો ચોર દ્વારા મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ, મોબાઈલ બચાવવા ટ્રેનમાંથી નીચે પટકાતાં ગંભીર ઈજા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 24, 2023 | 5:22 PM

સુરતમાં ભેસ્તાન અને ઉધના સ્ટેશન વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ કરાયો હતો. જેથી મોબાઈલ બચાવવા જતાં મુસાફર સંતુલન ગુમાવીને નીચે પટકાયો અને ટ્રેન અડફટે આવી જતા જમણો પગ કપાઇ ગયો હોવાની ઘટના બની હતી.

ટ્રેનમાંથી પટકાતાં શરીરે ગંભીર ઇજા

ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે અજાણ્યા વ્યક્તિએ ટ્રેનના દરવાજા પાસે બેઠેલા 30 વર્ષના મુસાફર મોહમદ ઈર્શાદ આલમનો મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પણ મોબાઈલ બચાવવા પ્રયાસમાં તે દોડતી ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો અને ટ્રેનની અડફટે આવતા તેનો જમણો પગ કપાઈ ગયો હોવાની ઘટના ઘટી હતી. સ્થાનિકો દ્વારા 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સમાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર શરૂ કરાઇ હતી. ડોકટરે જણાવ્યું કે, યુવાનને માથાના ભાગે ડાબા પગ સહિત શરીરે પણ ઈજા પહોંચી હતી.

ટ્રેનમાં સચિન જતા સમયે બન્યો બનાવ

મોહમદ ઇર્શાદ આલમ મૂળ બિહારનો વતની છે અને છેલ્લા 4 વર્ષથી ભાઈ સાથે રોજગારીને લઈને સુરતના લિંબાયત વિસ્તારમાં રહે છે. હાલ તે સિલાઈ મશીનના કામકાજ સાથે સંકળાયેલો છે. ગત રોજ કોઈક કામને લઈ સચિન જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના ઘટી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પણ વાંચો :4 વર્ષનો સમય વીતી ચુક્યો, તક્ષશીલા અગ્નિ કાંડમાં નથી મળ્યો કોઈને ન્યાય

મોબાઈલ અને પર્સ સહિતની ચોરીઓમાં વધારો

ઉલ્લેખનીય છે કે, ઉનાળાના વેકેશનના કારણે ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સિઝનના કારણે પ્રવાસ દરમિયાન અથવા સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વખતે અને ઉતરતી વખતે મુસાફરોના સામાન, મોબાઈલ અને પર્સ સહિતની ચોરીઓ વધી રહી છે. સુરત, ઉધના અને ભેસ્તાન સ્ટેશનની આસપાસ મોબાઈલ સ્નેચરો હજી પણ સક્રિય છે તે આ ઘટના પરથી પુરવાર થાય છે. જેને લીધે ભૂતકાળમાં પણ અનેક અકસ્માતો થયા છે. વહેલી તકે આવી ઘટનાઓ અંગે યોગી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવી ઘટનાઓ હજી પણ કેટલાય લોકોનો જીવા લઈ શકે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">