Surat: 4 વર્ષનો સમય વીતી ચુક્યો, તક્ષશીલા અગ્નિ કાંડમાં નથી મળ્યો કોઈને ન્યાય

તક્ષશીલા આગ ઘટના જે દુર્ઘટનામાં 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 4 વર્ષ બાદ પણ આ ઘટનામાં ભોગ બનનાર બાળકોના વાલીઓ ન્યાય ઝાંખી રહ્યા છે.

Surat: 4 વર્ષનો સમય વીતી ચુક્યો, તક્ષશીલા અગ્નિ કાંડમાં નથી મળ્યો કોઈને ન્યાય
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 24, 2023 | 4:56 PM

સુરતમાં 4 વર્ષ પહેલા આજના દિવસે તક્ષશીલા અગ્નિકાંડની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 22 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને 4 વર્ષનો સમય વીતી ચુક્યો છે. પરંતુ આજે પણ આ બાળકોના વાલીઓ ન્યાય ઝાંખી રહ્યા છે.

સુરત શહેરમાં 4 વર્ષ અગાઉ આજના દિવસે તક્ષશીલા અગ્નિ કાંડની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 4 વર્ષ બાદ પણ આ ઘટનાને યાદ કરીને સુરત શહેરની જનતાનું હદય કંપી ઉઠે છે. 4 વર્ષ વીત્યા બાદ આજે પણ આ બાળકોના વાલીઓ ન્યાય ઝાંખી રહ્યા છે. આ સમગ્ર કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જો કે અત્યાર સુધીમાં 3 જજ બદલાઈ ચુક્યા છે. જયારે 258 માંથી હજી સુધી માત્ર 93 સાક્ષીની ચકાસણી થઇ છે. ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે તમામ ભોગ બનેલા બાળકોના વાલીની જુબાની હવે શરુ થઇ છે. તેઓ આશા રાખી રહ્યા છે કે ઝડપથી ન્યાયિક પ્રક્રિયા પૂરી થશે. અને તમામ બાળકોને ન્યાય મળશે.

આ પણ વાંચો : નવાગામના એક ઘરમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, એક દિવસ પહેલા જ બિહારથી સુરત આવી હતી

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

મહત્વનું છે કે આ કેસમાં હજી 165 જેટલા સાક્ષીઓની જુબાની બાકી છે. જેમાં પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ, એફએસએલના અધિકારીઓ, નજરે જોનારા સાક્ષીઓ ઉપરાંત જેમની આ આર્કેડમાં દુકાનો છે તે તમામ ની જુબાની બાકી છે. ફરિયાદ પક્ષના વકીલનું કહેવું છે કે જુબાની લેવાયા બાદ આ કેસ જજમેન્ટ પર આવશે પરંતુ હજી આ તમામ પ્રક્રિયાઓમાં દોઢ થી બે વર્ષનો સમય નીકળી જાય તેવી સંભાવના છે.

રોજ કેસ ચલાવવા હાઈકોર્ટમાં અરજી

આ કેસની સુનાવણી સેસન્સ કોર્ટમાં રોજ ચાલે એ બાબતની એક અરજી પણ કરવામાં આવી હતી. પરંતુ આ અરજી કેસના ભારણના તારણ સાથે નામંજૂર કરવામાં આવી હતી. આથી મૂળ ફરીયાદી હવે હાઈકોર્ટમાં અરજી કરનારા છે.

વાલીઓએ વળતર લીધું નથી

આ કેસમાં 14 આરોપીઓને જામીન પણ મળી ગયા છે. તે પૈકીના અનેકને જામીન આપતી વખતે કોર્ટ દ્વારા વળતરની રકમ પણ જમા કરાવવાનું કહેવાયું હતું. અનેક આરોપીઓએ 25 લાખ સુધી જમા કરાવ્યા હતા કુલ દોઢ કરોડ જેટલી રકમ જમા થઇ છે. પરંતુ વાલીઓએ એક પણ રૂપિયો લીધો નથી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">