Surat : નર્મદ યુનિવર્સીટીનો પદવીદાન સમારંભ 24મીએ, શિક્ષણમંત્રી રહેશે હાજર

કોરોનાના કેસો ઓછા થયા બાદ હવે આ વર્ષે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ ઓફલાઈન યોજાવા જઈ રહ્યો છે. તારીખ 24 ઓગસ્ટના રોજ બપોરે 12 કલાકે યુનિવર્સીટીના કન્વેનશનલ હોલમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા હાજર રહેશે.

Surat : નર્મદ યુનિવર્સીટીનો પદવીદાન સમારંભ 24મીએ, શિક્ષણમંત્રી રહેશે હાજર
Surat: The graduation ceremony of Narmad University on the 24th, the Minister of Education will be present
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:16 PM

Surat સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો(Veer Narmad South Gujarat University )52 મો પદવીદાન સમારંભ આગામી તારીખ 24 ઓગસ્ટના રોજ યોજવામાં આવનાર છે. એમ.ફીલ અને 2 અને પીએચડીમાં 26 પદવી મળીને કુલ 4622 પદવીઓ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા હાજર રહેશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા દર વર્ષે પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. જેમાં યુનિવર્સીટીમાંથી ઉતીર્ણ થઈને ડિગ્રી લઈને નીકળતા વિદ્યાર્થીઓને અભિવાદન કરવામાં આવે છે. આ વર્ષે પણ યુનિવર્સીટીનો આ ખાસ પદવીદાન સમારોહ કવિ નર્મદ જયંતીના દિવસે એટલે કે 24 ઓગસ્ટ ના રોજ યોજવામાં આવનાર છે. ગયા વર્ષે કોરોનાના કારણે પદવીદાન સમારોહ ઓનલાઇન જ યોજવામાં આવ્યો હતો.

જોકે, આ સમયે કોરોનાના કેસો ઓછા થતા બધું જયારે પૂર્વવત થઇ રહ્યું છે. ત્યારે આ વર્ષનો પદવીદાન સમારોહ ઓફલાઈન યોજવામાં આવશે. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા પણ ઉપસ્થિત રહેશે. 24 ઓગસ્ટના રોજ યુનિવર્સીટીના કન્વેનશનલ હોલમાં બપોરે 12 કલાકે આ સમારોહ યોજવામાં આવનાર છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની વિવિધ 11 વિદ્યાશાખાના સ્નાતક, અનુસ્નાતક અને પી.જી. ડિપ્લોમાના 58 અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. એમ.ફિલમાં બે અને પી.એચ.ડી.માં 26 એમ કુલ મળીને 4622 પદવીઓ એનાયત કરવામાં આવનાર છે.

જોકે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી જયારે આ સમારોહમાં હાજર રહેવાના છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા ચાલુ વર્ષે ઘણી ઉપલબ્ધીઓની લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે લક્ષદ્વિપ કોલેજ સાથે યુનિવર્સીટીનું જોડાણ, યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની સરળતા માટે શરૂ કરવામાં આવેલ ચેટ બોટ સહીત તમામ ઉપલબ્ધીઓ પણ શિક્ષણમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોરોના પછી પહેલીવાર જયારે ઓફલાઈન પદવીદાન સમારોહ યોજાવાનો છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પણ આ સમારોહને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">