AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હર ઘર તિરંગા અભિયાનમાં રહેશે સુરતનો સૌથી મોટો ફાળો, સુરતની એક મિલ બનાવશે 1 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Narendra Modi ) આહવાનને પગલે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે તૈયારી કરવામાં આવી છે ત્યારે સુરત પણ પોતાનો એક નાનો અને અમૂલ્ય ફાળો આ તિરંગા ના ઉત્પાદન થકી આપી રહ્યું છે.

Surat : હર ઘર તિરંગા અભિયાનમાં રહેશે સુરતનો સૌથી મોટો ફાળો, સુરતની એક મિલ બનાવશે 1 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજ
Flag Making In Surat (File Image )
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 20, 2022 | 5:09 PM
Share

ભારત (India )દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ આ વર્ષે 15 મી ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા(National Flag ) ફરકાવવા માટેનું આહવાન કર્યું છે. ત્યારે સુરતના એક કપડાં ઉત્પાદક(Garment Manufacturer)ને એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનું ઉત્પાદન પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આગામી 10 ઓગસ્ટ સુધી આ તમામ તિરંગા તૈયાર કરી દેવામાં આવશે. સુરતની આ મિલમાં બનાવવામાં આવી રહેલ તિરંગા સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવશે. જ્યારે સુરતથી એક કંપનીને એક કરોડ ફ્લેગ બનાવવા માટેનો જે ઓર્ડર મળે છે તે મિલ માલિકનું કેવું છે કે નો પ્રોફિટ નો લોસના અંતર્ગત આ ફ્લેગ બનાવી અને આપવામાં આવશે.

ભારત દેશ આ વર્ષે જ્યારે આઝાદીનું 75 મુ વર્ષ ઉજવી રહ્યો છે. જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીકા અમૃત મહોત્સવ નું નામ આપ્યું છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના લોકોને એક આહવાન કર્યું છે કે, 15 ઓગસ્ટના દિવસે જ્યારે ભારત દેશ સ્વતંત્રતા દિવસ ઉજવશે ત્યારે દેશના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાવો જોઈએ અને તેના માટે જ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ તિરંગાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુરતના કપડા ઉત્પાદક સંજય સરાવગી ને પણ આ અભિયાન અંતર્ગત એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

જેમાં શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલી તેમની મિલમાં આ તિરંગા નું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી 10 ઓગસ્ટ પહેલા અહીં ઉત્પાદિત થયેલા તિરંગા દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મોટા નેતાઓ અને મોવડી મંડળ તેમજ કાર્યકર્તાઓ દ્વારા હાલ પહેરવામાં આવતી ભાજપની ટોપી નું ઉત્પાદન પણ આ જ કપડાં ઉત્પાદક દ્વારા કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે તૈયારી કરવામાં આવી છે ત્યારે સુરત પણ પોતાનો એક નાનો અને અમૂલ્ય ફાળો આ તિરંગા ના ઉત્પાદન થકી આપી રહ્યું છે. સુરત કોઈપણ તહેવાર હોય અથવા તો કોઈપણ મોટું ઇવેન્ટ હોય તેની અંદર સૌથી મોટો ફાળો સુરત શહેરનો રહેતો હોય છે તેમ દેશભક્તિની અંદર 15 મી ઓગસ્ટ નો એક આગમસ્થાન હોય છે ત્યારે અને તેમાં પણ રાષ્ટ્રધ્વજ એટલે ફ્લેટ તે બનાવવા માટેનું પણ સુરતનું સૌથી મોટું રેકોર્ડ છે કારણ કે અગાઉ પણ આ જ કંપનીને મિલિટરીના જે કાપડ છે તે બનાવવા માટેનો ઓર્ડર મળ્યો હતો.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">