PM Kisan Yojana: આ લોકોએ પરત કરવા પડી શકે છે પીએમ કિસાન યોજનાના પૈસા, જાણો કારણ
ખેડૂતો હવે 12મા હપ્તા(PM Kisan 12th Installment)ની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કોઈપણ તારીખે ખેડૂતોને 2 હજાર રૂપિયાની રકમ મોકલાવવામાં આવી શકે છે.
દેશના ખેડૂતોને ખેતી કરતી વખતે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan) શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ, નાના અને સીમાંત ખેડૂતો(Small And Marginal Farmers)ને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 11 હપ્તા આપવામાં આવ્યા છે. જ્યારે ખેડૂતો હવે 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, 11મો હપ્તો 31 મે 2022ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો છે. ખેડૂતો હવે 12મા હપ્તા(PM Kisan 12th Installment)ની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કોઈપણ તારીખે ખેડૂતોને 2 હજાર રૂપિયાની રકમ મોકલાવવામાં આવી શકે છે.
પાત્ર ન હોય તેવા લાભાર્થીઓને નોટિસ
અહીં પીએમ કિસાન યોજનાનો ખોટી રીતે લાભ લેવાના ઘણા મામલા સામે આવ્યા છે. હવે આવા લાભાર્થીઓ પાસેથી તમામ હપ્તાના નાણાં વસૂલવામાં આવી રહ્યા છે. આ માટે તેમને નોટિસ પણ મોકલવામાં આવી રહી છે. પૈસા પરત ન કરવા બદલ આ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમારું નામ યાદીમાં તપાસો
મે ઓનલાઈન દ્વારા પણ ચેક કરી શકો છો કે તમારે પૈસા પરત કરવાના રહેશે કે નહીં. આ માટે, તમે ફાર્મર કોર્નર પર રિફંડ ઓનલાઈનનો વિકલ્પ જોશો. અહીં ક્લિક કરવાથી એક પેજ ખુલશે. અહીં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો. આ પછી, અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. પછી કેપ્ચા કોડ દાખલ કરો અને ‘ગેટ ડેટા’ પર ક્લિક કરો. જો તમે સ્ક્રીન પર ‘You are not eligible for any refund amount’ એવો સંદેશ જોશો, તો તમારે પૈસા પાછા આપવાના રહેશે નહીં. જો રિફંડની રકમનો વિકલ્પ બતાવવામાં આવે છે, તો સમજી લો કે તમને કોઈપણ સમયે રિફંડ નોટિસ મળી શકે છે.
આ રીતે ખેડૂતો ઇ-કેવાયસી કરી શકે છે
ઈ-કેવાયસી કરાવવા માટે, જે ખેડૂત યોજનાનો લાભ લઈ રહ્યા છે તેણે પહેલા પીએમ કિસાન પોર્ટલ પર જવું પડશે. પોર્ટલની મુલાકાત લીધા પછી, ખેડૂતો સ્ક્રીનની જમણી બાજુએ e-KYC નો વિકલ્પ જોશે. ખેડૂતો આ વિકલ્પ પર ક્લિક કરે છે. અહીં ક્લિક કરવાથી 12 અંકનો આધાર નંબર ભરવાનો વિકલ્પ આવશે. આધાર કાર્ડ નંબર ભર્યા પછી, કેપ્ચા કોડ ભર્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો. અહીં ક્લિક કર્યા પછી, સંબંધિત ખેડૂતના આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. આ OTP ત્યાં લખવાનો રહેશે. આ રીતે ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થશે. સરકારે ઈ-કેવાયસીની તારીખ 31 જુલાઈ સુધી લંબાવી છે. જે ખેડૂતો આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી તેઓ 12મા હપ્તાથી વંચિત રહી શકે છે.