AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની ઓનલાઈન મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના સેમેસ્ટર 3ની મોક ટેસ્ટ ઓનલાઈન યોજવામાં આવી હતી. જેમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે લોગ ઇન કરી શક્યા ન હતા.

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની ઓનલાઈન મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 11, 2021 | 7:59 PM
Share

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના સેમેસ્ટર 3ની મોક ટેસ્ટ ઓનલાઈન યોજવામાં આવી હતી. જેમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે લોગ ઇન કરી શક્યા ન હતા. વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા માટે ખૂબ જ મુશ્કેલી પડી હતી. તેવામાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કુલપતિને આ માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ અને બીએ સેમેસ્ટર 3 ની નિયમિત પરીક્ષા 18 જૂનથી શરૂ થવાની છે. જેને પગલે online mock test યોજવામાં આવી હતી. જેમાં ઘણી બધી ટેકનિકલ સમસ્યા અને સર્વર ડાઉન રહેવાને કારણે હજારો વિદ્યાર્થીઓને લેપટોપ, કમ્પ્યુટર અને મોબાઈલ જેવા ઉપકરણો દ્વારા ઓનલાઇન ટેસ્ટ માટે લોગ ઇન કરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ લોગ ઇન કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ પણ એક બે પ્રશ્નોના ઉત્તર આપ્યા બાદ ઓટોમેટીક લોગ આઉટ થઈ ગયા હતા.

નોંધનીય છે કે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન એક્ઝામ માટે પ્રોબ્લેમ ન થાય તે માટે હેલ્પ લાઈન નંબર પણ આપવામાં આવ્યા હતા. પરંતુ તેનાથી પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન એક્ઝામ આપવા માટે પરીક્ષા મુશ્કેલી નડી રહી છે. તેમાં કોઇ નિરાકરણ આવ્યું નથી.

આજે પણ મોક ટેસ્ટ યોજાઈ હતી. તેમાં પણ ટેક્નિકલ ઇસ્યુ આવવાના કારણે વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. છાત્ર યુવા પરિષદ દ્વારા આજે કુલપતિને રજુઆત કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">