AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મહાનગરપાલિકાને હવે એસઆરપીની ટુકડી ફાળવાતા ડિમોલિશન માટે રાહત

મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ગૃહ રાજ્ય મંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે જ 10 જ દિવસમાં સુરત મહાનગરપાલિકાને એસઆરપી ટુકડીની ફાળવણી કરવામાં આવી દેવાઈ છે.

Surat : મહાનગરપાલિકાને હવે એસઆરપીની ટુકડી ફાળવાતા ડિમોલિશન માટે રાહત
Surat: Relief for demolition now allotted to SRP detachment to the corporation
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:56 AM
Share

સુરત(Surat )શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ(Encroachment) હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબ્જા(Demolition ) દૂર કરવા તેમજ રખડતા ધોરણે પકડવા જેવી વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

આ કામગીરી માટે સિક્યોરિટી ગાર્ડ ને સાથે રાખવામાં આવે છે. પરંતુ આવી કામગીરી વખતે છાશવારે લોકો સાથે પાલિકાના દબાણ અને ડિમોલિશન સ્ટાફને ઘર્ષણમાં ઉતરવું પડે છે.

અનેક વખત તો મનપાના કર્મચારીઓ પર ગંભીર હુમલાઓ પણ થયા છે. મનપા દ્વારા આવી કામગીરીઓ માટે પોલીસતંત્ર દ્વારા મળતા બંદોબસ્ત પર નિર્ભર રહેવુ પડતું હતું. તેથી છેલ્લા પાંચ વર્ષથી સુરત મહાનગરપાલિકાને એસઆરપી ટુકડી ફાળવવા માટે માંગણી કરવામાં આવી હતી. કારણ કે તેનાથી પાલિકાના સ્ટાફને સિક્યોરિટી સહિતની મદદ મળી રહે.

પરંતુ એક યા બીજા કારણોસર આ માંગણી પુરી થતી ન હતી. પરંતુ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ગૃહ રાજ્ય મંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે જ 10 જ દિવસમાં સુરત મહાનગરપાલિકાને એસઆરપી ટુકડીની ફાળવણી કરવામાં આવી દેવાઈ છે.જેથી હવે કોર્પોરેશનને ડિમોલિશન, દબાણ વગેરેની કામગીરીમાં મદદરૂપ થશે.

સુરત મહાનગરપાલિકાને સુરક્ષા સંદર્ભેથી કામગીરી માટે પહેલી વખત જ એસઆરપી જવાનોની ટુકડી ફાળવવામાં આવી છે. જે ટિમ સુરત પહોંચી ચુકી છે. મનપાને એસઆપી ટુકડી ફાળવવાથી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે ભિક્ષુકમુક્ત, રખડતા ઢોરમુક્ત , દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર દબાણો દૂર કરવા જેવી વિવિધ કામગીરી આસાનીથી થઇ શકશે.

અત્યારસુધી દબાણ કે ડિમોલિશનની કામગીરી દરમ્યાન કે પછી રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પાલિકા પાસે અપૂરતો સ્ટાફ હોવાના કારણે તકલીફ પણ પડતી હતી. એટલું જ નહીં પાલિકાની ટિમ પર અવારનવાર હુમલાઓ થતા હોવાના પણ બનાવો સામે આવતા હતા. પરંતુ હવે વધારાનો બંદોબસ્ત મળતા આ મુશ્કેલી દૂર થઇ છે.

જેથી હવે અલગ અલગ ઝોનમાં આ કામગીરી વધુ સારી રીતે કરી શકાશે. હવે પાલિકાના સ્ટાફની સાથે એસઆરપીની ટુકડીને પણ જરૂર હશે તે જગ્યાએ મદદ માટે મોકલવામાં આવશે. લાંબા સમયથી કરવામાં આવી રહેલી માંગણી આખરે સંતોષાતા સુરત મનપાની કામગીરી વધુ સારી રીતે થઇ શકે છે.

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">