Surat: ફાયર સેફટી ન ધરાવનાર હોસ્પિટલો સામે, સતત ત્રીજા દિવસે તંત્રની લાલ આંખ, 8 હોસ્પિટલને કરાઈ સીલ

Surat : કોરોના હોસ્પિટલોમાં સતત બનતી આગની ઘટનાઓને લીધે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતર્ક થઇ ગયું છે. આ વચ્ચે સુરત ફાયર વિભાગ ( surat Fire Department ) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Surat: ફાયર સેફટી ન ધરાવનાર હોસ્પિટલો સામે, સતત ત્રીજા દિવસે તંત્રની લાલ આંખ, 8 હોસ્પિટલને કરાઈ સીલ
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 01, 2021 | 8:48 AM

Surat : કોરોના હોસ્પિટલોમાં સતત બનતી આગની ઘટનાઓને લીધે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતર્ક થઇ ગયું છે. સમયાંતરે સતત મોકડ્રિલનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના સ્ટાફને પણ ફાયર અંગે જાણકારી અને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ વચ્ચે સુરત ફાયર વિભાગ ( surat Fire Department ) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હોસ્પિટલોમાં સર્વેને ચેકિંગની કામગીરી 25 એપ્રિલથી ચાલી રહી છે. અત્યાર સુધી 35 થી વધારે હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. એક હજારથી વધુ તબીબો અને સ્ટાફને ફાયર સેફટી અંગે માહિતગાર કરીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમજ ફાયરસેફટીમાં ખામી જણાતા 50 જેટલી હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવી હતી.

છેલ્લા 3 દિવસથી ફાયર સેફટી ન ધરાવનાર હોસ્પિટલ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકીંગ કરીને તેને સિલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. 30 મેના રોજ 19 હોસ્પિટલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, 31 મેના રોજ 18 હોસ્પિટલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને આજે વધુ 8 હોસ્પિટલને સિલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આમ અત્યાર સુધી 45 જેટલી હોસ્પિટલને સિલ કરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા પ્રમાણે નોટિસ ફટકારવા છતાં જે હોસ્પિટલોએ ફાયર સેફટીના સાધનો કાર્યરત નથી કર્યા તેમજ જ્યાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે તે હોસ્પિટલને સિલ કરાઈ રહી છે.

જોકે જ્યાં દર્દી દાખલ હોય તેટલો વોર્ડ ખુલ્લો રાખીને બાકીના વોર્ડ અને રિસેપશનને સિલ કરાયા છે. જો કે આ હોસ્પિટલો જ્યાં સુધી ફાયર સેફટી ઉભી ન કરે ત્યાં સુધી નવા દર્દીને એપોઈમેન્ટ કે દાખલ ન કરવાની સૂચના આપી છે.

નોંધનીય છે કે, અવારનવાર કોવીડ હોસ્પિટલમાં આગની ઘટના બનતી રહે છે. તે સમયે ફાયર સેફટીની સુવિધા ના હોવાને કારણે  અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">