Surat: ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સુરત શહેર નંબર વન, સબસીડી ચુકવવામાં પણ સુરત RTO પ્રથમ

વસ્તીની દ્રષ્ટિએ રાજ્યમાં નંબર વન શહેર અમદાવાદમાં માત્ર 1100 વાહન વેચાયા છે. બીજી તરફ સરકારે જાહેર કરેલી સબસડી ચૂકવવામાં પણ સુરત આરટીઓ પ્રથમ ક્રમે છે.

Surat: ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સુરત શહેર નંબર વન, સબસીડી ચુકવવામાં પણ સુરત RTO પ્રથમ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 9:30 AM

રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના (Electric Vehicles ) વેચાણને પ્રોત્સાહન આપવા સરકારે ટુવ્હીલરમાં 20 હજાર અને કારમાં 1.50 લાખ સુધીની સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત સાથે જ સુરતમાં ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરની આરટીઓના (RTO) ચોપડે નોંધાયેલા ઈલેક્ટ્રિક વ્હીકલના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સુરત અવ્વલ નોંધાયુ છે. સુરતમાં અધધ 2,627 ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે.

જ્યારે વસ્તીની દ્રષ્ટિએ રાજ્યમાં નંબર વન શહેર અમદાવાદમાં માત્ર 1100 વાહન વેચાયા છે. બીજી તરફ સરકારે જાહેર કરેલી સબસિડી ચૂકવવામાં પણ સુરત આરટીઓ પ્રથમ ક્રમે છે. સુરત આરટીઓના ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે સબસિડી મેળવવાને પાત્ર તમામ વાહનોની સબસડી મંજૂરી કરી દીધી છે. હવે રોજેરોજ સબસિડીની અરજીનો નિકાલ કરાઇ રહ્યો છે.

આજના દિવસે એકપણ વાહનની સબસિડી પેન્ડિંગ નથી, જે વાહનોની સબસિડી પેન્ડિંગ છે તેઓએ સરકારી પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા તો સરકારી સબસડી મેળવવા માટે પાત્ર નહીં હોવા છતાં સબસિડી મેળવવા માટે અરજી કરી દીધી હશે. સુરતમાં કાર, ટુવ્હીલર અને થ્રી વ્હીલર મળી કુલ 2,627 વાહન , અમદાવાદમાં 1,100, રાજકોટમાં 460 અને વડોદરામાં માત્ર 350 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ઈલેક્ટ્રિક વ્હીકલની સબસિડીનો કોઈ બેકલોગ નથી

ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે સુરતમાં ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. તેમજ સરકારની ગાઈડલાઇન અનુસાર વાહનમાલિકોને સરળતાથી સબસડી મળી રહે તે માટે રોજેરોજે અરજી મંજૂર કરવામાં આવી રહી છે.

સબસિડી મેળવવા ઓનલાઇન અરજી કરવી ફરજિયાત

સરકારી સબસિડી મેળવવા માટે સરકારે કેટલીક મર્યાદા લાદી છે. જેમકે , ટુવ્હીલરમાં 1.50 લાખ સુધીની કિંમતના વાહનો જ સબસિડી મેળવવાને હકદાર છે. જ્યારે શ્રી વ્હીલરમાં 5 લાખ અને કારમાં 15 લાખ સુધીની કિંમતના વ્હીકલને જ સબસડી મળી છે. 15 લાખથી વધુની કિંમતના વાહનો સબસિડી મેળવવાને પાત્ર નથી. બીજી તરફ વાહનમાલિકોએ વાહન ખરીદ્યા બાદ સબસડી મેળવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ખુદ વાહનમાલિક અથવા ડીલરે સબસિડી માટેની ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે.

સુરત આરટીઓએ 2.46 કરોડની સબસિડી મંજૂરી કરી

સુરત આરટીઓના ચોપડે અત્યાર સુધીમાં 2,627 ઈલેક્ટ્રિકલ વ્હીકલ વેચાયાં હોવાનું નોંધાયું છે. પરંતુ આ બધાં જ વાહનો સબસડી મેળવવાને પાત્ર નથી. દરમિયાન અત્યાર સુધીમાં ઓનલાઇન અરજી કરનારા અને સબસિડી મેળવવાને પાત્ર એવા 1132 વ્હીકલની સબસિડી મંજૂરી કરી દેવામાં આવી છે. આ 1,132 વ્હીકલને 2,46,16,000 રૂપિયાની સબસિડી મંજૂર કરવામાં આવી છે. 1132 વ્હીકલમાં 1108 ટુવ્હીલર, 3 થ્રી વ્હીલર અને 21 ફોર વ્હીલરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં નવી નિયુક્તિઓ થશે , 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">