AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પુણા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડીને સિમેન્ટ કોંક્રિટથી ઢાંકી દેવા SMCની તૈયારી

ચોમાસા દરમ્યાન ભારે વરસાદને પગલે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. આરસીસી સ્ટ્રક્ચર બનવાના કારણે ખાડીની વહનક્ષમતામાં પણ વધારો થશે. અને પાણીનો નિકાલ પણ ઝડપથી થઇ શકશે.

Surat : પુણા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડીને સિમેન્ટ કોંક્રિટથી ઢાંકી દેવા SMCની તૈયારી
Preparation of rulers to cover the creek passing through Pune area with cement concrete
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 9:40 AM
Share

સુરત (Surat )શહેરમાંથી પસાર થતી ખાડીઓ (Bay ) ગંદકીથી ખદબદતી હોય છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે લોકોને દુર્ગંધ મારતી ખાડીઓથી છુટકારો મળી રહે તે માટે ખાડીઓને વિકસાવવામાં આવી રહી છે. અને ખાડીઓના બ્યુટીફીકેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આવી જ એક કામગીરી પુણા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડી માટે હાથ ધરવામાં આવનાર છે.

સુરતના પુણા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડીને સિમેન્ટ કોંક્રિટથી ઢાંકી દેવા મહાનગરપાલિકાના શાસકો તૈયારી કરી રહ્યા છે. આ કામગીરી કરવાથી જે પોણા ત્રણ કિલોમીટર લાંબી ખાડી છે, તે આખી કવર્ડ થઇ જશે, અને લોકોને ગંદકી તેમજ દુર્ગંધથી છુટકારો મળવાની સાથે વધુ એક સમાંતર માર્ગ મળતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.

અંદાજે 8.30 કી.મી. પૈકી પોણા ત્રણ કી.મી. લાંબાઇમાં ખાડીને કવર્ડ કરવાની બાકી કામગીરી માટે 274.34 કરોડના ખર્ચે પૂર્ણ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ખાડીઓના રી મોલ્ડિંગ અને રી સ્ટ્રક્ચરિંગ કરવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. સરિતા વિહારથી એપીએમસી માર્કેટ સુધી 1.35 કી.મી. લંબાઈમાં કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. જયારે કરંજ એસટીપીથી સરિતા વિહાર સોસાયટી સુધીની 1.50 કી.મી. લંબાઈમાં ખાડીના રી મોલ્ટીંગ અને રી સ્ટ્રક્ચરિંગની કામગીરી 75 ટકા જેટલી પૂર્ણ થઇ ગઈ છે.

ખાડીની બાકીની કામગીરી પૂર્ણ કરવાં માટે અંદાજે 274.34 કરોડના ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે. આ કોયલી ખાડીને આરસીસી સ્ટ્રક્ચર બનાવી સંપૂર્ણપણે કવર કરવાથી માર્ગ પરિવહન માટે વૈકલ્પિક રસ્તો મળી રહેશે. આ સાથે ગંદકીનું પ્રમાણ પણ ઘટાડી શકાશે.

ચોમાસા દરમ્યાન ભારે વરસાદને પગલે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. આરસીસી સ્ટ્રક્ચર બનવાના કારણે ખાડીની વહનક્ષમતામાં પણ વધારો થશે. અને પાણીનો નિકાલ પણ ઝડપથી થઇ શકશે. આગામી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">