AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત

સુરત (Surat ) શહેરમાં ચાર રસ્તા ઉપર તેમજ અલગ અલગ વિસ્તારોમાં ઓટોરિક્ષા અને લારીઓનું દબાણ વધુ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે એ સત્ય હકીકત છે.

Surat : રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત
Traffic Jam in Surat (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 8:51 AM
Share

સુરત (Surat ) શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ટ્રાફિક (Traffic ) સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરત રેલ્વે સ્ટેશન (Station ) તરફ જવાના રોડ પર અડધેથી પોણો કલાક સુધી વાહન વ્યવહારમાં ટ્રાફિક જામ લાગી જાય છે. જેના કારણે કેટલા રેલવે યાત્રીઓની પોતાને ટ્રેન ચૂકી જતા હોવાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લા પાંચ-છ દિવસથી સાંજના સમયે ટ્રાફિકજામ થવાની સમસ્યા સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરીને ટ્રાફિક જામની સમસ્યા હળવી બનાવવા પ્રયત્ન કરાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે.

સુરત શહેરમાં વસ્તી સાથે વિસ્તારમાં વધારો થયો છે જેને લઈને ટ્રાફિક વિભાગમાં પણ મહેકમમાં વધારો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં પહેલા એક નાયબ પોલીસ કમિશનર હતા તે જગ્યા પર હવે બબ્બે નાયબ પોલીસ કમિશનર ફરજ બજાવી રહ્યા છે. છતાં પણ  સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યાનો નિકાલ થતો નથી. છેલ્લા પાંચ દિવસથી સુરત રેલવે સ્ટેશન પર સાંજના સમયે જવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. અડધો પોણો કલાક સુધી વાહન વ્યવહાર ટ્રાફિક માં જામ સમસ્યાને લઈને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત થી સુરત તરફ નોકરી માટે આવતા અપડાઉન વર્ગને ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રેનો ચૂકી જવાના પણ બનાવો બની રહ્યા છે.

જેને લઇને અપડાઉન વર્ગના લોકોને ભારે નારાજગી ટ્રાફિક પોલીસ પર કાઢી રહ્યા છે. સુરત શહેરમાં ચાર રસ્તા ઉપર તેમજ અલગ અલગ વિસ્તારોમાં ઓટોરિક્ષા અને લારીઓનું દબાણ વધુ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે એ સત્ય હકીકત છે. સુરત શહેરના કાંગારૂ સર્કલ થી ગોડાદરા તરફ જવાના રોડ પર બપોરે સમયે અઢી કિલોમીટર સુધી લાંબી લારીઓની કતારો લાગે છે અને મુખ્ય રસ્તાની વચ્ચે લારી મૂકવામાં આવે છે, તેમજ વરાછા વિસ્તારમાં સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દબાણો કરવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિક પોલીસને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા કરતા માત્ર ને માત્ર સામાન્ય વાહનચાલકને કેવી રીતે હેરાન કરવામાં આવે એમાં રસ વધારે દેખાઈ રહ્યો છે.

શહેરમાં આજે ઠેક ઠેકાણે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. બેરીકેટ મુકવામાં આવ્યા છે. સ્ટેશન વિસ્તારમાં પણ બ્રિજની કામગીરીને લઈને ડાયવરઝ્ન આપવામાં આવ્યા છે. જેથી અહીં ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય એ સ્વાભાવિક છે. ત્યારે અહીં આ સ્થિતિ ને હળવી કરવા ટ્રાફિકના જવાનો રાખવામાં આવે તેવી માંગ છે. કારણ કે માર્કેટ વિસ્તારમાંથી કારીગરો છૂટવાના સમયે ભયંકર ટ્રાફિકજામની સર્જાય છે. જેથી ટ્રાફિક પોલીસ આ તરફ ધ્યાન આપે એવી લોકલાગણી છે.

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">