AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ

કચેરીના પરિપત્રમાં જણાવ્યા મુજબ , પૂરતી લાયકાત ન ધરાવતા શિક્ષકો અંગે માંગવામાં આવેલી ઓનલાઇન માહિતીમાં 40 શાળાના 135 શિક્ષકો લાયકાત ધરાવતા નથી એવું જણાયું છે .

Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ
Surat: Order to remove 135 unqualified 135 private school teachers
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 05, 2022 | 2:46 PM
Share

સુરત સહિત રાજ્યભરની ખાનગી શાળાઓમાં (Private school) શિક્ષકોની (Teachers)લાયકાતને મુદ્દે સમયાંતરે ઉહાપોહ , ફરિયાદો સાંભળવા મળે છે . જેમાં હવે સુરતની 40 ખાનગી શાળાના 135 શિક્ષકો લાયકાત વિહોણા હોવાના મત સાથે સુરત જિલ્લા શિક્ષણાધિકારી (District Education Officer)કચેરીએ શાળા , શિક્ષકોની સંખ્યાની યાદી જાહેર કરી છે .

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ એક મહિના પહેલા તમામ ખાનગી શાળાઓ પાસેથી શિક્ષકોની લાયકાત અંગેની વિગતો માંગી હતી . તે સાથે જ લાયકાત વિહોણા શિક્ષકોને ફરજમુક્ત કરવાની સૂચના આપી હતી . ત્યાર બાદ મોટા ભાગની ખાનગી શાળાઓએ વિગતો રજૂ કરવાની સાથે જ બાંહેધરી પત્રક પણ મોકલી આપ્યા હતા .

જ્યારે શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં સુરતની ૪૦ ખાનગી શાળામાં 135 શિક્ષકો લાયકાત વિહોણા હોવાનું નોંધાયુ છે . કચેરીના પરિપત્રમાં જણાવ્યા મુજબ , પૂરતી લાયકાત ન ધરાવતા શિક્ષકો અંગે માંગવામાં આવેલી ઓનલાઇન માહિતીમાં 40 શાળાના 135 શિક્ષકો લાયકાત ધરાવતા નથી એવું જણાયું છે .

જેમાં નોન – ગ્રાન્ટેડ શાળાઓમાં લાયકાત ન ધરાવનારા શિક્ષકોને દૂર કરવાના બાકી હોય બાંહેધરી પત્રક માંગવામાં આવ્યુ છે . શાળાઓએ નિર્ધારીત નમૂના પ્રમાણે બાંહેધરી પત્રક તૈયાર કરી 3 દિવસમાં કચેરીને મોકલવાનું રહેશે .

શિક્ષકોની લાયકાતતી માહિતી અંગે શાળામાં મિશ્ર પ્રતિસાદ

શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષકોની લાયકાત સંદર્ભે માંગવામાં આવેલી માહિતી અંગે શાળા વર્તુળમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે . શાળા સંચાલકોના મત મુજબ , હાલમાં માર્ચ – એપ્રિલ માસમાં વાર્ષિક પરીક્ષાઓનું આયોજન કરાયુ હોય આ પ્રકારે શિક્ષકોની લાયકાતની વિગતો માંગવાને કારણે શિક્ષણકાર્ય પર અસર થઇ રહી છે .

અગાઉ પણ શાળાઓ દ્વારા આ સંદર્ભે માહિતી આપવામાં આવી છે . કોરોના કાળ પછી હેમખેમ શાળામાં રાબેતા મુજબનું શિક્ષણકાર્ય શરૂ થયુ છે ત્યારે આ પ્રકારની પ્રક્રિયાને લઇને શિક્ષણકાર્ય અસરગ્રસ્ત થઇ રહ્યું છે.

આ પણ વાંચો : ST બસમાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ જાણો, પાસ નિઃશુલ્ક કરવા અંગે શું કર્યું પૂર્ણેશ મોદીએ

આ પણ વાંચોઃ Rajkot: અમૂલ દૂધમાં 2 રૂપિયા ભાવ વધ્યા બાદ છૂટક વેચનારાઓએ લીટરે 5 રૂપિયાનો વધારો ઝીંકી દીધો

લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
g clip-path="url(#clip0_868_265)">