AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ

કચેરીના પરિપત્રમાં જણાવ્યા મુજબ , પૂરતી લાયકાત ન ધરાવતા શિક્ષકો અંગે માંગવામાં આવેલી ઓનલાઇન માહિતીમાં 40 શાળાના 135 શિક્ષકો લાયકાત ધરાવતા નથી એવું જણાયું છે .

Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ
Surat: Order to remove 135 unqualified 135 private school teachers
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 05, 2022 | 2:46 PM
Share

સુરત સહિત રાજ્યભરની ખાનગી શાળાઓમાં (Private school) શિક્ષકોની (Teachers)લાયકાતને મુદ્દે સમયાંતરે ઉહાપોહ , ફરિયાદો સાંભળવા મળે છે . જેમાં હવે સુરતની 40 ખાનગી શાળાના 135 શિક્ષકો લાયકાત વિહોણા હોવાના મત સાથે સુરત જિલ્લા શિક્ષણાધિકારી (District Education Officer)કચેરીએ શાળા , શિક્ષકોની સંખ્યાની યાદી જાહેર કરી છે .

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ એક મહિના પહેલા તમામ ખાનગી શાળાઓ પાસેથી શિક્ષકોની લાયકાત અંગેની વિગતો માંગી હતી . તે સાથે જ લાયકાત વિહોણા શિક્ષકોને ફરજમુક્ત કરવાની સૂચના આપી હતી . ત્યાર બાદ મોટા ભાગની ખાનગી શાળાઓએ વિગતો રજૂ કરવાની સાથે જ બાંહેધરી પત્રક પણ મોકલી આપ્યા હતા .

જ્યારે શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં સુરતની ૪૦ ખાનગી શાળામાં 135 શિક્ષકો લાયકાત વિહોણા હોવાનું નોંધાયુ છે . કચેરીના પરિપત્રમાં જણાવ્યા મુજબ , પૂરતી લાયકાત ન ધરાવતા શિક્ષકો અંગે માંગવામાં આવેલી ઓનલાઇન માહિતીમાં 40 શાળાના 135 શિક્ષકો લાયકાત ધરાવતા નથી એવું જણાયું છે .

જેમાં નોન – ગ્રાન્ટેડ શાળાઓમાં લાયકાત ન ધરાવનારા શિક્ષકોને દૂર કરવાના બાકી હોય બાંહેધરી પત્રક માંગવામાં આવ્યુ છે . શાળાઓએ નિર્ધારીત નમૂના પ્રમાણે બાંહેધરી પત્રક તૈયાર કરી 3 દિવસમાં કચેરીને મોકલવાનું રહેશે .

શિક્ષકોની લાયકાતતી માહિતી અંગે શાળામાં મિશ્ર પ્રતિસાદ

શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષકોની લાયકાત સંદર્ભે માંગવામાં આવેલી માહિતી અંગે શાળા વર્તુળમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે . શાળા સંચાલકોના મત મુજબ , હાલમાં માર્ચ – એપ્રિલ માસમાં વાર્ષિક પરીક્ષાઓનું આયોજન કરાયુ હોય આ પ્રકારે શિક્ષકોની લાયકાતની વિગતો માંગવાને કારણે શિક્ષણકાર્ય પર અસર થઇ રહી છે .

અગાઉ પણ શાળાઓ દ્વારા આ સંદર્ભે માહિતી આપવામાં આવી છે . કોરોના કાળ પછી હેમખેમ શાળામાં રાબેતા મુજબનું શિક્ષણકાર્ય શરૂ થયુ છે ત્યારે આ પ્રકારની પ્રક્રિયાને લઇને શિક્ષણકાર્ય અસરગ્રસ્ત થઇ રહ્યું છે.

આ પણ વાંચો : ST બસમાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ જાણો, પાસ નિઃશુલ્ક કરવા અંગે શું કર્યું પૂર્ણેશ મોદીએ

આ પણ વાંચોઃ Rajkot: અમૂલ દૂધમાં 2 રૂપિયા ભાવ વધ્યા બાદ છૂટક વેચનારાઓએ લીટરે 5 રૂપિયાનો વધારો ઝીંકી દીધો

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">