Surat: વધુ એક સનદી અધિકારીને સુરત સદી ગયુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની હવે કેન્દ્રમાં પોતાના કામનું પાણી બતાવી શકશે

સુરતના હાલના મ્યુનિસિપલ કિમશનર બંછાનીધી પાનીની જોઈન્ટ સેક્રેટરી તરીકેની લાયકાત હોવાથી પસંદગી કરવામાં આવી. કેન્દ્રની સેવામાં જવા ઈચ્છે તો ડેપ્યુટેશનની માંગણી કરી શકે છે. કમિશનર બંછાનીધી પાનીનુ કામ કોરોનાના કપરા સમયમાં પણ બિરદાવવા લાયક રહ્યું છે.

Surat: વધુ એક સનદી અધિકારીને સુરત સદી ગયુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની હવે કેન્દ્રમાં પોતાના કામનું પાણી બતાવી શકશે
Surat: The government liked the work of Municipal Commissioner Banchanidhi Pani of Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:08 AM

સુરતમાં(Surat ) કોરોના ના કપરા સમયમાં આ મહામારી સામેની લડતમાં સફળ નેતૃત્વ કરીને શ્રેષ્ઠ કામગીરી કરનાર સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની ને કેન્દ્ર સરકારે પ્રમોશન આપ્યું છે. થોડા સમય પહેલા જ એક વાત વહેતી થઇ હતી કે સુરતના મનપા કમિશનર બંછાનીધી પાની એ કોરોના(Corona ) સામેની લડાઈમાં શ્રેષ્ઠ કામગીરી કરવા ઉપરાંત કોરોનાના કપરા સમય વચ્ચે પણ સુરતના વિકાસની ગતિને ધીમી પડવા નથી દીધી.

જેથી આ બાબતની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. ત્યારે હવે કેન્દ્ર સરકરે ગુજરાતના માત્ર છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં જોઈન્ટ સેક્રેટરી પદ માટે લાયકાત હોવાથી પસંદગી કરી છે. તેમાં બંછાનીધી પાનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરના(Gujarat cader ) બંછાનીધી પાની ઉપરાંત શાલિની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી.ભારથી, રણજિતકુમાર, કે.કે.નીરાલાની પણ પસંદગી કરવામાં આવી છે. જે પૈકી પી.ભારથી પણ સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટેશન પર ડેપ્યુટી કિમશનર તરીકે રહી ચુક્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હવે આ અધિકારીઓ કેન્દ્રની સેવામાં જવા ઈચ્છે ત્યારે ડેપ્યુટેશનની માંગણી કરી શકે છે. નોંધનીય છે કે આ અગાઉ સુરત મનપા કમિશનર રહી ચૂકેલા પંકજ જોશી અને એસ.અપર્ણા પણ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી ચુક્યા છે. હાલમાં બંછાનીધી પાની સુરતના કમિશનર તરીકે જ યથાવત રહેશે.

આમ, મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરતમાં રહી ચૂકેલા અધિકારીઓને સુરત શહેર ખુબ લકી સાબિત થયું છે. સુરતમાં કામ કર્યા બાદ કેન્દ્ર માં સેવા કરવાની તક આ પહેલા પણ ઘણા મ્યુનિસિપલ કમિશનરને મળી ચુકી છે અને હવે આ તક હાલના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીને મળી છે.

આ પણ વાંચો :

Surat: શહેરના પ્રથમ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજનું કામ 80 ટકા પૂર્ણ, ભયંકર ટ્રાફિકની સમસ્યા હવે થશે હલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">