AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શહેરના પ્રથમ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજનું કામ 80 ટકા પૂર્ણ, ભયંકર ટ્રાફિકની સમસ્યા હવે થશે હલ

બ્રિજ સીટી સુરતમાં હવે પહેલો મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે અને હવે માર્ચ 2022 સુધીમાં આ બ્રિજનું લોકો માટે ખુલ્લો મુકાય તેવી ગણતરી છે.

Surat: શહેરના પ્રથમ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજનું કામ 80 ટકા પૂર્ણ,  ભયંકર ટ્રાફિકની સમસ્યા હવે થશે હલ
Surat: multilayer flyover bridge
Parul Mahadik
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:28 PM
Share

Surat: સુરત શહેરને પૂર્વ તથા પશ્ચિમ ભાગને વિભાજીત કરતી વર્ષો જૂની રેલવે લાઈન ઉપર આવેલા રેલવે અંડર પાસ સહારા દરવાજા ગરનાળા તરીકે પ્રખ્યાત છે. 1980ના દાયકા સુધી સુરતનો વિકાસ રેલવે લાઈનની પશ્ચિમ સુધી મર્યાદિત હતો. આ દરમ્યાન ટેક્સ્ટાઈલ માર્કેટની સ્થાપના થઈ. જેથી પરપ્રાંતિયો સુરત રોજગારી માટે આવવા લાગ્યા પરિણામે સહારા દરવાજાથી પૂર્વ દિશામાં આશરે 10 કિલોમીટર સુધી વિકાસ વધ્યો અને ટેક્સ્ટાઈલ માર્કેટો બનતી રહી. જે બાદ ટ્રાફિકનું ભારણ પણ સતત વધી રહ્યું છે.

ત્યારે હવે સુરત મુંબઈ રેલવે લાઈન પર શહેરના પ્રથમ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતના પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. સુરતના સહારા દરવાજા અને પુણા વિસ્તારમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા જોવા મળે છે. માર્કેટ વિસ્તાર ઉપરાંત શહેરમાં પ્રવેશવાનો પણ આ એક રસ્તો હોય ટ્રાફિકથી આ રસ્તો જામ રહે છે. જેથી સુરત મનપા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સહારા દરવાજા પાસે હયાત ગરનાળા નીચેના ભાગે આઠ લેન ખુલશે. ગરનાળાના ઉપરના ભાગે બે લેનના મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ છે. જંકશન પર નીચેના ભાગે ચાર લેન અને બ્રિજ પર બે-બે લેન એક સાથે હશે. બે લેન રિંગરોડ બ્રિજના નીચેના ભાગથી ઉધના દરવાજા જવા માટે અને બે લેન ઉધના દરવાજાથી દિલ્હીગેટ જવા માટે હશે.

આર.ઓ.બી માટે 41 મીટરના નવ જેટલા સ્પાન ટ્રેક ઉપર મૂકવા પડશે. તે માટે રેલવે પાસે બ્લોક માંગવામાં આવશે. રેલવેના ત્રણ સ્પાન બાકી છે અને 1 સ્પાનની મંજૂરી અંતિમ તબક્કામાં છે. આ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ 80 ટકા તૈયાર થઈ ગયો છે અને માર્ચ 2022 સુધી કામ પૂર્ણ કરવા માટેની ખાતરી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી છે.

સહારા દરવાજા મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ પ્રોજેકટ:

પ્રોજેકટ કોસ્ટ: રૂપિયા 138 કરોડ કોન્ટ્રાકટર: રણજીત બિલ્ડકોન કામગીરી શરૂ કર્યાનો સમય: નવેમ્બર 2017 કામગીરી પૂર્ણ કરવાનો સમય: 36 મહિના એટલે કે 5/11/2020માં આ બ્રિજનું જ પૂર્ણ કરવાનું હતું.. હાલમાં બ્રિજની કામગીરી 80% પૂર્ણ થઈ છે.

આ પણ વાંચો: Surat : યુવાઓના સર્વાંગી વિકાસ માટે સુરતમાં “સરદારધામ” બનાવવાની વિચારણા

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">