AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે

વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. સ્કૂલોએ રસીકરણ માટે ફક્ત જગ્યા જ આપવાની રહેશે. બાકીની તમામ કામગીરી પાલિકાની ટિમ દ્વારા કરવામાં આવશે. 

Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે
Vaccination will start from 3rd January for students
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:03 AM
Share

આગામી 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષ સુધીના બાળકોને (Children )કોવિડ રસીકરણ (Vaccination )આપવાની સરકારની જાહેરાતને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ વયમર્યાદાની અંદર શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરાયો છે . તમામ શાળાઓ પાસેથી મળેલી માહિતી મુજબ , 15 થી 18 વર્ષની વયમર્યાદામાં હાલ 1.41 લાખ વિદ્યાર્થીઓ શાળાઓમાં નોંધાયા છે . આ સંખ્યામાં થોડો વધારો થઇ શકે છે .

31 ડીસેમ્બર , 2007 પૂર્વે જન્મેલા તમામ બાળકોને રસીનો ડોઝ આપવામાં આવશે . મોટેભાગે જે – તે શાળામાં વેક્સિનની કામગીરી માટે જગ્યા ઉપલબ્ધ હોય તો તે જ શાળાઓમાં વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઊભી કરવાનું મનપા દ્વારા આયોજન થઇ રહ્યું છે . સુરત મનપા સંચાલિત 18 સુમન હાઇસ્કૂલોના 12 શાળાભવનોમાં અભ્યાસ કરતાં 15 થી 18 વર્ષ સુધીના બાળકોને તે સ્કૂલમાં જ વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે .

તદ્ઉપરાંત , ખાનગી શાળાઓ પાસે પણ સંલગ્ન વિદ્યાર્થીઓને ત્યાં જ રસી માટેની વ્યવસ્થા ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી શાળામાં જ સેન્ટર શરુ કરી શકાય કે કેમ ? તે માટેની માહિતી મગાવવામાં આવી છે . સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 80 જેટલી ખાનગી શાળાઓએ પોતાના પ્રિમાઇસિસમાં જ રસીકરણ સેન્ટર માટે જગ્યા ફાળવવા સંમતિ આપી દીધી છે .

છેલ્લાં બે – ત્રણ અઠવાડિયામાં શહેરમાં પોઝિટિવ આવેલા કેસોમાં એવરેજ 20 થી 25 ટકા કેસો વિદ્યાર્થીઓના છે તેથી તંત્ર દ્વારા ઝડપથી સરકારની ગાઇડલાઇન પ્રમાણે 15 થી 18 વર્ષના બાળકો વિદ્યાર્થીઓને ઝડપથી કોવિડ સામે રક્ષણ આપતી રસીનો ડોઝ અપાય જાય તેની યુદ્ધ સ્તરે તૈયારી , વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સ્કૂલોમાં ન ભણતા હોય તેવા પણ 15 થી 20 હજાર બાળકોને આવરી લેવાનું મહાનગરપાલીકાનું આયોજન છે. આમ, સુરતની 1619 પૈકી 80 જેટલી સ્કૂલોમાં તારીખ ત્રીજી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. અને તમામ બાળકોને કોવેક્સિન આપવામાં આવશે. પાલિકા સંચાલિત 12 અને ખાનગી 68 જેટલી શાળાઓમાં આ વેક્સિનેશન કામગીરી કરવામાં આવશે. ત્યારપછી તબક્કાવાર સ્કૂલોની સંખ્યા વધારવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. સ્કૂલોએ રસીકરણ માટે ફક્ત જગ્યા જ આપવાની રહેશે. બાકીની તમામ કામગીરી પાલિકાની ટિમ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : RAJKOT : શહેરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, 3 દિવસમાં બમણા થઇ રહ્યાં છે કેસો

આ પણ વાંચો : ગાંધીનગરમાં પણ કોરોનાને લઇને તંત્ર સતર્ક, દરરોજ 1000 ટેસ્ટ માટેનું આયોજન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">