Surat : ગણપતિ ઉત્સવમાં ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનરનું નોટિફિકેશન

ગણેશ મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં એકત્ર થનાર લોકોને કારણે મહાનગરપાલિકાને ગણેશ વિસર્જન બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેવો ભય લાગી રહ્યો છે. પરિણામે ગણેશોત્સવ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

Surat : ગણપતિ ઉત્સવમાં ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનરનું નોટિફિકેશન
Surat: Notification of Commissioner of Police to strictly follow the guideline in Ganpati Utsav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 6:16 PM

આગામી સાર્વજનિક ગણેશ મહોત્સવ સંદર્ભે ગુજરાત સરકારની ગાઇડલાઇન ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જરૂરી માર્ગદર્શિકા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આજે સરકારની ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા માટે પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે.

આ સાથે જ એનજીટીની ગાઇડલાઇન અંતર્ગત ઘરે સ્થાપન કરવામાં આવેલ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઘરઆંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં જ કરવાની હિતાવહ હોવાનું પણ સૂચન કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સાત ઝોનમાં 19 જેટલા કૃત્રિમ તળાવોમાં શ્રીજીના પ્રતિમાઓના વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક ઝોનમાં નક્કી કરેલા સ્થળે કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ગણેશ મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં એકત્ર થનાર લોકોને કારણે મહાનગરપાલિકાને ગણેશ વિસર્જન બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેવો ભય લાગી રહ્યો છે. પરિણામે ગણેશોત્સવ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આયોજકોનો થર્મલ સ્કેનિંગ, સેનેટઇઝર સાથે ઓક્સિમીટરની સુવિધા ઉભી કરવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત આયોજકોને શ્રીજીના દર્શનની વ્યવસ્થા માટે યોગ્ય અંતર જાળવી ગોળ કુંડાળા કરવા અને બેઠક વ્યવસ્થા દરમ્યાન બે વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટ અંતર જળવાઈ રહે તેની કાળજી રાખવા સૂચના આપી છે.

સાવર્જનિક ગણેશ મહોત્સવ દરમ્યાન તબીબી સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. મંડપમાં થૂંકવા, પાન મસાલા ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ જો 2 ફૂટની પ્રતિમા હશે તો એ પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે જ કરવાનું રહેશે. તેમજ બે ફૂટ થી મોટી પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું રહેશે.

જોકે આ વર્ષે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવની ગાઇડલાઇન મોડેથી જાહેર કરાતા 4 ફૂટની પ્રતિમાઓની બનાવટ બહુ ઓછી થઇ છે. જોકે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતના ગણેશભક્તો દ્વારા પણ તેની જોરશોરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: TB ના વધતા કેસોને જોતા લાજપોર જેલના કેદીઓની દર છ મહિને સમયસર તપાસ કરવા ગુજરાત સરકારને ભલામણ

Surat : છત્તીસગઢનો પરિવાર રીક્ષામાં દાગીના ભૂલ્યું, પોલીસે સમયસૂચકતા વાપરી કિંમતી સામાન શોધી કાઢયો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">