AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પાંડેસરા હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત થતા રહીશોને ખાલી કરવા નોટિસ, સ્થાનિકોને સામે ચોમાસે બેઘર થવાનો ભય

સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનોને રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ ખાલી કરવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.

Surat: પાંડેસરા હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત થતા રહીશોને ખાલી કરવા નોટિસ, સ્થાનિકોને સામે ચોમાસે બેઘર થવાનો ભય
પાંડેસરા હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 09, 2021 | 3:55 PM
Share

સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ (Housing Board) ના મકાનોને રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ ખાલી કરવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા મકાનો પાંડેસરા વિસ્તારમાં 22 બિલ્ડીંગોમાં 2260 મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા.

Surat

નોટિસ

સમય જતાં આ મકાનો હવે જર્જરિત થઇ ગયા છે તેવું જણાવી ને બે હજારથી પણ વધારે પરિવારો છે જેમને હવે નોટિસ ફટકારીને ઘર ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. તેવામાં સામે ચોમાસાએ સેંકડો લોકોને ઘરથી બેઘર થવાનો ભય સતાવી રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.

ગુજરાત સરકાર ગરીબોની સરકાર હોવાનું વારંવાર કહેવામાં આવે છે. પરંતુ સુરતની પરિસ્થિતિ જુદી જોવા મળી રહી છે. લોકોને આવનારા ચોમાસા પહેલા ઘરથી બેઘર કરવાની સરકારની નીતિ હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ કોરોનાનો સમય પણ ચાલી જ રહ્યો છે. તેવામાં લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી થઇ ગઇ છે ત્યારે સરકાર તેમની વહારે આવે અને તમામ લોકોને હાલ ઘરથી બેઘર ન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

ચોમાસાના સમયે જો માથા પરથી છત જતી રહેશે તો ક્યાં જવું તેવો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. જોકે તમામ લોકો સામાન્ય પરિવારના અને રોજ કમાઇને રોજ ખાતા હોવાથી તેમની આર્થિક પરિસ્થિતિ પણ વિકટ છે. ત્યારે તેમની એક જ માગ છે કે અધિકારીઓ તેમની આ લાગણીને માન આપે અને હાલ પૂરતો તેમને સમય આપે.

સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
g clip-path="url(#clip0_868_265)">