AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પિતાના આપઘાતમાં જવાબદાર હોવાની આશંકામાં હત્યા, કાકા-ભત્રીજાની ધરપકડ

સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે ભાણેજના લગ્ન માટે પરિવારના સભ્યો સાથે સાડીની ખરીદી કરવા આવેલા કાકા-ભત્રીજાએ ગત બુધવારે બપોરે પિતરાઈ ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Surat: પિતાના આપઘાતમાં જવાબદાર હોવાની આશંકામાં હત્યા, કાકા-ભત્રીજાની ધરપકડ
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 21, 2023 | 8:06 PM
Share

સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે ભાણેજના લગ્ન માટે પરિવારના સભ્યો સાથે સાડીની ખરીદી કરવા આવેલા કાકા-ભત્રીજાએ ગત બુધવારે બપોરે પિતરાઈ ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસને બંને કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અહીં મહત્વનું છે કે, મૃતકના કારણે પિતાએ આપઘાત કર્યો હોવાની આશંકામાં હત્યા કરી નાખી હતી. સુરતના સમાચાર અહીં વાંચો.

સારવાર પહેલા જ મોત

લોહીલુહાણ હાલતમાં પરિવારજનો ઈજા પામેલા 22 વર્ષીય અનિલ સંજય નિકમ (રહે,દક્ષેશ્વર નગર સોસા,પાંડેસરા)ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. ઉધના પોલીસે સુરેશ જગદેવ અને જય જગદેવ (રહે,ગોડાદરા)ની સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યારો સુરેશ મૃતકના પિતાનો પિતરાઈ માસીયાઈ ભાઈ છે. જ્યારે જય મૃતકનો પિતરાઈ ભાઈ છે. એક મહિના પહેલા જયના પિતાએ આપઘાત કર્યો હતો, જેમાં અનિલ નિકમને કારણે જયના પિતાએ આપઘાત કર્યાની અદાવતમાં બંનેએ હત્યા કરી હતી.

કાકા-ભત્રીજાએ અનિલ પર ચપ્પુ વડે હુમલો કર્યો

મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે, લગ્ન માટે ખરીદી કરવા પરિવારના 50થી 60 સભ્યો ઉધના સ્ટેશનની સામે સાડીની દુકાનમાં આવ્યા હતા. પરિવારજનો ખરીદી કરવા દુકાનમાં ગયા, ત્યારે અચાનક કાકા-ભત્રીજાએ અનિસ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. મૃતક અનિલના પતિા પણ ખરીદી કરવા સાથે આવ્યા હતા.

પિતાના આપઘાતને લઈને હત્યા કરી

ચિરાગ પટેલ (એસીપી-સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે, અગિયાર મહિના પહેલા જયેશના પિતા રાજુ ભાઈએ આત્મહત્યા કરી હતી. રાજુભાઈની પત્ની અને જયેશની માતા ત્રણેક દિવસો માટે ઘરેથી જતી રહી હતી. મહિલા તો પરત આવી ગઇ હતી, પરંતુ પત્નીના ગુમ થવાનો આઘાત જીરવી નહિ શકેલા રાજુભાઈએ આપઘાત કરી લીધો હતો. પોતાની માતા ત્રણ દિવસ ગુમ રહી તેમાં અનિલ જવાબદાર હોવાનું અને તેને કારણે જ પિતાએ અંતિમ પગલુ ભર્યાની શંકા રાખી આ ખુની ખેલ ખેલાયો હોવાની વાત સામે આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
g clip-path="url(#clip0_868_265)">