AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પિતાના આપઘાતમાં જવાબદાર હોવાની આશંકામાં હત્યા, કાકા-ભત્રીજાની ધરપકડ

સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે ભાણેજના લગ્ન માટે પરિવારના સભ્યો સાથે સાડીની ખરીદી કરવા આવેલા કાકા-ભત્રીજાએ ગત બુધવારે બપોરે પિતરાઈ ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Surat: પિતાના આપઘાતમાં જવાબદાર હોવાની આશંકામાં હત્યા, કાકા-ભત્રીજાની ધરપકડ
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 21, 2023 | 8:06 PM
Share

સુરત ઉધના રેલવે સ્ટેશન પાસે ભાણેજના લગ્ન માટે પરિવારના સભ્યો સાથે સાડીની ખરીદી કરવા આવેલા કાકા-ભત્રીજાએ ગત બુધવારે બપોરે પિતરાઈ ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસને બંને કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અહીં મહત્વનું છે કે, મૃતકના કારણે પિતાએ આપઘાત કર્યો હોવાની આશંકામાં હત્યા કરી નાખી હતી. સુરતના સમાચાર અહીં વાંચો.

સારવાર પહેલા જ મોત

લોહીલુહાણ હાલતમાં પરિવારજનો ઈજા પામેલા 22 વર્ષીય અનિલ સંજય નિકમ (રહે,દક્ષેશ્વર નગર સોસા,પાંડેસરા)ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. ઉધના પોલીસે સુરેશ જગદેવ અને જય જગદેવ (રહે,ગોડાદરા)ની સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યારો સુરેશ મૃતકના પિતાનો પિતરાઈ માસીયાઈ ભાઈ છે. જ્યારે જય મૃતકનો પિતરાઈ ભાઈ છે. એક મહિના પહેલા જયના પિતાએ આપઘાત કર્યો હતો, જેમાં અનિલ નિકમને કારણે જયના પિતાએ આપઘાત કર્યાની અદાવતમાં બંનેએ હત્યા કરી હતી.

કાકા-ભત્રીજાએ અનિલ પર ચપ્પુ વડે હુમલો કર્યો

મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે, લગ્ન માટે ખરીદી કરવા પરિવારના 50થી 60 સભ્યો ઉધના સ્ટેશનની સામે સાડીની દુકાનમાં આવ્યા હતા. પરિવારજનો ખરીદી કરવા દુકાનમાં ગયા, ત્યારે અચાનક કાકા-ભત્રીજાએ અનિસ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. મૃતક અનિલના પતિા પણ ખરીદી કરવા સાથે આવ્યા હતા.

પિતાના આપઘાતને લઈને હત્યા કરી

ચિરાગ પટેલ (એસીપી-સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે, અગિયાર મહિના પહેલા જયેશના પિતા રાજુ ભાઈએ આત્મહત્યા કરી હતી. રાજુભાઈની પત્ની અને જયેશની માતા ત્રણેક દિવસો માટે ઘરેથી જતી રહી હતી. મહિલા તો પરત આવી ગઇ હતી, પરંતુ પત્નીના ગુમ થવાનો આઘાત જીરવી નહિ શકેલા રાજુભાઈએ આપઘાત કરી લીધો હતો. પોતાની માતા ત્રણ દિવસ ગુમ રહી તેમાં અનિલ જવાબદાર હોવાનું અને તેને કારણે જ પિતાએ અંતિમ પગલુ ભર્યાની શંકા રાખી આ ખુની ખેલ ખેલાયો હોવાની વાત સામે આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">