AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરત મહાનગર પાલિકાએ અલાયદું પોલીસ મથક ફાળવવા ગૃહ મંત્રાલય પાસે માંગણી કરી

સુરત (Surat) શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં હાલમાં દબાણ ની સમસ્યા સૌથી વિકટ સમસ્યા થઈ ગઈ છે અને તેમાં પણ માથાભારે દબાણ કરનારાઓ પાલિકાની ટીમ પર હુમલો કરી રહ્યા છે. આવી જ રીતે પાલિકા ગેરકાયદે બાંધકામના ડિમોલીશન કરવા જાય છે ત્યારે પણ પાલિકાની ટીમને ઘેરીને હુમલો કરવામાં આવે છે.

Surat : સુરત મહાનગર પાલિકાએ અલાયદું પોલીસ મથક ફાળવવા ગૃહ મંત્રાલય પાસે માંગણી કરી
Surat Corporation (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 14, 2022 | 4:38 PM
Share

સુરત(Surat) મહાનગર પાલિકાની દબાણ ખાતાની ટીમ રસ્તા પરના દબાણ હટાવવા કે ડિમોલિશનની(Demolition) કામગીરી માટે જાય છે ત્યારે ઘર્ષણ ઉભું થતું હોય છે. જોકે આ દરમિયાન ઘણા કેસો એવા હોય છે કે જેમાં પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓની હાલત કફોડી થવા પામે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત મહાનગર પાલિકા પાસે વર્ષ 1997 પહેલા અલાયદું પોલીસ સ્ટેશન(Police Station) હતું. જેથી હવે ફરી એકવાર મનપા દ્વારા ગૃહ મંત્રાલય પાસે સુરત મહાનગર પાલિકા માટે અલાયદું પોલીસ મથક ફાળવવાની માંગ કરી પત્ર લખ્યો છે. જેમાં એસીપીથી માંડી પોલીસ કોન્સ્ટેબલ સુધીના સ્ટાફની માંગણી કરવામાં આવી છે.સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં હાલમાં દબાણ ની સમસ્યા સૌથી વિકટ સમસ્યા થઈ ગઈ છે અને તેમાં પણ માથાભારે દબાણ કરનારાઓ પાલિકાની ટીમ પર હુમલો કરી રહ્યા છે. આવી જ રીતે પાલિકા ગેરકાયદે બાંધકામના ડિમોલીશન કરવા જાય છે ત્યારે પણ પાલિકાની ટીમને ઘેરીને હુમલો કરવામાં આવે છે.

1997 પહેલા સુરત મહાનગરપાલિકા પાસે પોતાનું અલાયદું પોલીસ સ્ટેશન હતું

છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી ઘટનામાં પાલિકાના કર્મચારીઓની હાલત ઘણી જ કફોડી બની જાય છે તેવી સ્થિતિ નિવારવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે.પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, 1997 પહેલા સુરત મહાનગરપાલિકા પાસે પોતાનું અલાયદું પોલીસ સ્ટેશન હતું પાલિકાના વિવિધ કામગીરીમાં આ પોલીસ સ્ટેશનના કર્મચારીઅધિકારી સીધી રીતે જોડાયેલા રહેતા હતા. આવી જ રીતે ફરીથી સુરત કોર્પોરેશનને અલાયદુ પોલીસ સ્ટેશન મળે તે માટે રાજ્યના ગૃહ મંત્રાલયનો પત્ર લખવામાં આવ્યો છે. જેમાં એક એ.સી.પી., પી.આઈ., પી.એ.આઈ. અને કોન્સ્ટબલ સહિતના સ્ટાફને ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

જો કોર્પોરેશનને અલગ પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે તો મહાનગરપાલિકા ને લાગતી ફરિયાદો આ અલાયદા પોલીસ મથકમાં કરીને ત્વરીતે તેનો નિકાલ આવી શકે.

આ પણ વાંચો : અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો, માત્ર 75 દિવસમાં સાડા 3 કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણ  

આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસ હવે ભાજપનો વિકલ્પ બનવાની ક્ષમતા ખોઈ બેઠી છે તેથી AAPમાં જોડાયો છુંઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક  

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">