AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મુખ્તાર અબ્બાસ નકવી સુરત પહોંચ્યા, હુનર હાટમાં કોરોના ગાઈડલાઇનનું ધ્યાન રાખવા સૂચના

નોંધનીય છે કે, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા વર્ષ 2016 માં ‘હુનર હાટ’ ની શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ કલા અને પરંપરાને સન્માન આપવાનો છે.

Surat : મુખ્તાર અબ્બાસ નકવી સુરત પહોંચ્યા, હુનર હાટમાં કોરોના ગાઈડલાઇનનું ધ્યાન રાખવા સૂચના
Mukhta Abbas Nakvi in Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 9:23 PM
Share

સુરતના(Surat ) વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા હુનર હાટમાં (Hunar Hatt ) દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કારીગરોએ સુરતના રહેવાસીઓ માટે તેમના સ્ટોલ તૈયાર કર્યા છે. આગામી 10 દિવસ સુધી, લોકો હસ્તકલા અને વાનગીઓના 300 સ્ટોલની મુલાકાત લઈ શકશે અને ખરીદી કરી શકશે.

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી હુનર હાટ શરૂ થવાના એક દિવસ પહેલા સુરત પહોંચ્યા હતા. એરપોર્ટથી સીધા વનિતા વિશ્રામ પહોંચ્યા બાદ તેમણે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ 300 સ્ટોલની મુલાકાત લઈને પ્રદર્શનમાં ભાગ લેનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. અને દરેક વસ્તુને ખૂબ નજીકથી જોઈ.

તેઓએ વિશ્વકર્મા વાટિકા અને ફૂડ કોર્ટ ‘મેરા ગાંવ મેરા દેશ’ની પણ મુલાકાત લીધી હતી. આયોજક સમિતિના લોકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. શુક્રવારે  સવારે 11 વાગ્યે નકવી હુનર હાટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે અને હુનર હાટ વિશે મીડિયાને વિસ્તૃત માહિતી આપશે.

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર યોજાનારા મેદાનમાં ઉભા કરાયેલ હુનર હાટ 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાથી લઈને કોવિડ પ્રોટોકોલ અને માર્ગદર્શિકા સુધી વિશેષ કાળજી લેવામાં આવશે. એક ટીમ સેનિટાઈઝરથી લઈને સમગ્ર કેમ્પસ સુધી સામાજિક અંતર જાળવવા લોકો સાથે સતત સંકલન કરશે.

હુનર હાટમાં દરેક માટે માસ્ક ફરજિયાત રહેશે અને જેઓ માસ્ક નથી પહેરતા તેમને હુનર હાટની મેનેજિંગ કમિટીના લોકો માસ્ક આપશે. દરેક સાથે વાતચીત અને સંકલન જાળવવામાં આવશે. સુરક્ષા માટે હુનર હાટના મુખ્ય દ્વારથી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. હુનર હાટ 11 ડિસેમ્બરે જ જનતા માટે ખોલવામાં આવશે. 12મી ડિસેમ્બર (રવિવાર)ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી દ્વારા ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમની સાથે મુખ્ય અતિથિ તરીકે અન્ય મહાનુભાવો પણ મંચ પર હાજર રહેશે.

નોંધનીય છે કે, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા વર્ષ 2016 માં ‘હુનર હાટ’ ની શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ કલા અને પરંપરાને સન્માન આપવાનો છે. તે સાથે કલા અને કલાકારને માન્યતા આપવાનો પણ એક હેતુ છે. છેલ્લા 6 વર્ષોથી ‘હુનર હાટ’ માં લાખો કલાકારીગરો, શિલ્પકારો અને તેમની કલા લઈને આવે છે. તો આ કલા સાથે સંકળાયેલા અનેક લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવામાં આવા કાર્યક્રમો ભાગ ભજવે છે. અહીં દેશના વિવિધ ભાગોમાંથી પરંપરાગત ફૂડ સ્ટોલ ઉપરાંત, મોટા કલાકારો તેમજ સ્થાનિક કલાકારોને પણ સ્ટેજ પર તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળે છે.

આ પણ વાંચો : Surat: 11 થી 20 ડિસેમ્બર યોજાશે ‘હુનર હાટ’, હસ્તકલા, આર્ટના કારીગરોને મળશે રોજગારીની તકો

આ પણ વાંચો : Surat: સ્થાનિકોના વિરોધ વચ્ચે 100 વર્ષથી વધુ જૂની મોચીની ચાલનું ડિમોલીશન, ભાગળ ખાતે બનશે મેટ્રો જંકશન

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">