Surat: સ્થાનિકોના વિરોધ વચ્ચે 100 વર્ષથી વધુ જૂની મોચીની ચાલનું ડિમોલીશન, ભાગળ ખાતે બનશે મેટ્રો જંકશન

Surat: શહેરમાં ભાગલ પાસે મેટ્રો જંકશન બનવાનું છે. આ માટે છેવટે 100 વર્ષથી વધુ જૂની 'મોચિની ચાલ'નું ડિમોલિશન કરવામાં આવ્યું.

Surat: સ્થાનિકોના વિરોધ વચ્ચે 100 વર્ષથી વધુ જૂની મોચીની ચાલનું ડિમોલીશન, ભાગળ ખાતે બનશે મેટ્રો જંકશન
Bhagal Metro Junction in Surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:37 PM

Surat: શહેરના ભાગળ ખાતે મેટ્રો પ્રોજેક્ટને (Metro Project) કારણે દાયકાઓ જુની મિલ્કતોના ડિમોલીશનની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે, સેન્ટ્રલ ઝોનની ટીમ ડિમોલીશનની કામગીરીનો પ્રારંભ કરે તે પૂર્વે સ્થાનિક મહિલાઓ અને દુકાનદારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. અલબત્ત, મનપાના (SMC) અધિકારીઓ દ્વારા તાત્કાલિક મહિધરપુરા પોલીસને જાણ કરતાં પોલીસની મધ્યસ્થી બાદ બપોર ડિમોલીશનની કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી હતી.

સુરત શહેરમાં સાકાર થઈ રહેલા મેટ્રો પ્રોજેક્ટને પગલે ભાગળ ખાતે આવેલ મોચીની ચાલ વિસ્તારના ડિમોલીશનની કવાયત છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં મેટ્રોનું જંકશન બનાવાનું હોવાને કારણે 100 વર્ષ કરતાં જુની દુકાનો અને મિલ્કતો ધરાવતી મોચીની ચાલના ડિમોલીશન માટે વહેલી સવારે સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાની ટીમ માર્શલ અને એસઆરપી સાથે ઘટના સ્થળે પહોંચી હતી.

જો કે, બેઘર થવાના આક્રોશ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા મનપાની ટીમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ સાથે જ દાયકાઓથી રોજી – રોટી મેળવનારા દુકાનદારો પણ પોતાની મિલ્કતોના ડિમોલીશનને પગલે ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. સ્થાનિકોએ મનપાની ટીમનો ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર સાથે કોઈપણ સંજોગોમાં ડિમોલીશન ન થવા દેવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજી તરફ મનપાના અધિકારીઓ પણ વાતાવરણ ઉગ્ર બને તે પહેલાં જ સ્થાનિક પોલીસને જાણ કરી દીધી હતી. મહિધરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાઓ સહિત દુકાનદારો સાથે મધ્યસ્થી કર્યા બાદ બપોરથી મોચીની ચાલ વિસ્તારમાં ડિમોલીશનની કામગીરીનો અંતે પ્રારંભ થયો હતો.

પોલીસ સાથે પણ દોઢ કલાક સુધી ઘર્ષણ

ડિમોલીશન કરવા માટે પહોંચેલી મનપાની ટીમને ઘેરીને ડિમોલીશનની કામગીરીમાં વિધ્ન ઉભા કરનાર સ્થાનિકોને અંકુશમાં લેવા માટે મનપા દ્વારા મહિધરપુરા પોલીસનો સહયોગ લેવામાં આવ્યો હતો. જો કે, બેઘર થવાને કારણે રોષે ભરાયેલા મિલ્કતદારો દ્વારા મહિધરપુરા પોલીસ સાથે પણ દોઢ કલાક સુધી રકઝક કરવામાં આવી હતી.

એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની જતાં પોલીસ જવાનો દ્વારા પણ ભારે સંયમતા દાખવીને મિલ્કતદારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અંતે બપોરે ડિમોલીશનની કામગીરી રાબેતા મુજબ હાથ ધરવામાં આવી હતી.

વિરોધને પગલે કલાકો સુધી ટ્રાફિક જામ

મહાનગર પાલિકા દ્વારા ગઈકાલે જ મોચીની ચાલના રહેવાસીઓ અને મિલ્કતદારોને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. તેમ છતાં આજે વહેલી સવારે ડિમોલીશન માટે પહોંચેલી ટીમનો સ્થાનિકો દ્વારા ઘેરાવ કરવાને પગલે પીક અવર્સ દરમ્યાન કલાકો સુધી રાજ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી. જેને પગલે નોકરી – ધંધા માટે નીકળેલા વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: Surat : કાપડ પર GST દર 12% થતા જરી ઉધ્યોગની ચમક ઘટી! આટલા ટકા ઘટ્યું પ્રોડક્શન

આ પણ વાંચો: તાલિબાની માનસિકતા: સુરતમાં શ્વાનને ગળાફાંસો આપી મારનાર વિરુદ્ધ ફરિયાદ, વિડીયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">