Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)સુરત(Surat)આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના મંત્રી વિનુ મોરડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. વિનુ મોરડિયા એ કેજરીવાલના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે મહેમાનો તો ગુજરાતમાં આવે છે અને જતા રહે છે.

Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે
Gujarat Minister Vinu Moradiya on Kejriwal Visit
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 01, 2022 | 6:14 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો એકબીજા પર શાબ્દિક પ્રહારો વધતા જાય છે. ગુજરાતમાં હવે અન્ય મોટી પાર્ટીઓના નેતાઓની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)સુરત(Surat)આવી પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ફ્રેન્ડલી મેચ રમતી હતી. આટલા વર્ષોથી શાસનમાં રહેલી ભાજપ પાર્ટી હવે આમ આદમી પાર્ટીથી ડરી રહી છે અને એટલા માટે જ વિધાનસભા ચૂંટણીઓની તારીખ જલ્દી જાહેર કરી શકે છે.

જોકે તેની સામે આજે ગુજરાતના મંત્રી વિનુ મોરડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. વિનુ મોરડિયા એ કેજરીવાલના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે મહેમાનો તો ગુજરાતમાં આવે છે અને જતા રહે છે.ચૂંટણી આવે ત્યારે અન્ય રાજ્યોના મહેમાન આવતા હોય છે. કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે ઉમેર્યું હતું કે વિધાનસભા ભંગ કરવાના કે ચૂંટણી વહેલી યોજવાના તેમને સપના દેખાય છે. ચૂંટણી યોજવાનું કામ ચૂંટણી આયોગનું છે, કોઈ પણ સરકારનું નથી. ચૂંટણી તેના નિયત સમય થશે તેવી વાત પણ મંત્રી વિનુ મોરડિયા એ કરી હતી.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકામાં પહેલીવાર વિપક્ષમાં બેસીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી લેનાર આમ આદમી પાર્ટી હવે વિધાનસભામાં જીતવા તનતોડ મહેનત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પણ આપના આ મનસૂબાને નાકામ કરવા બનતા તમામ પ્રયત્નો કરી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ ઉપરાંત દિલ્હીના સીએમ  કેજરીવાલે સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ભંગ કર્યા બાદ દસથી બાર દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવાના છે. બીટીપી સાથે ગઠબંધન કર્યા બાદ ભરૂચ જિલ્લામાં તેની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Mehsana : વડનગર ખાતે ગુજરાત સ્થાપના દિન અંતર્ગત “ગુજરાત ગૌરવ દિવસની” ઉજવણી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">