AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ

વિદ્યાર્થીઓ-શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે લાઈફ લાઈન સમાન સુરત મહાનગર પાલિકાની બસ સેવામાં પીક અવર્સ દરમ્યાન કુલ કેપિસીટી કરતાં બે - ત્રણ ગણા મુસાફરોના દ્રશ્યો રોજીંદા જોવા મળતા હોય છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ
File image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 3:48 PM
Share

અમદાવાદ (Ahmedabad) બાદ સુરત (Surat) શહેર કોરોના મહામારીના ત્રીજા તબક્કાની લહેરનું એપી સેન્ટર બનતાં સરકાર દ્વારા પણ એક પછી એક આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે અમદાવાદ ખાતે યોજાનાર પતંગોત્સવ, ફ્લાવર શો અને વાઈબ્રન્ટ સમિટ રદ કરવાના નિર્ણય બાદ હવે સુરતમાં આગામી 9મી તારીખે યોજાનાર પતંગ મહોત્સવ પણ રદ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશ-દુનિયાના અવનવા પતંગોને આકાશમાં વિહરતા જોવાના શોખીન સુરતીઓ માટે આ વર્ષે તાપી નદીના તટે 9મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ પતંગ મહોત્સવને હવે કોરોના મહામારીનું ગ્રહણ લાગી ચુક્યું છે અને કોરોનાના સતત વધતા કેસોને પગલે અંતે રાજ્ય સરકાર દ્વારા સુરત ખાતે યોજાનાર પતંગ મહોત્સવને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ મહાનગર પાલિકા દ્વારા પણ ગોપી ઉત્સવ સહિતના કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરનો આદેશ કાગળ પર 

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે લેવામાં આવતાં આકરા નિર્ણયો માત્ર કાગળના વાઘ પુરવાર થઈ રહ્યા છે. હાલમાં જ કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે બીઆરટીએસ અને સિટી બસોમાં કેપિસિટી કરતાં અડધા મુસાફરોને બેસાડવાના નિર્ણય ધરાર છેદ ઉડી રહ્યો હોય તેવા આજે સવારથી ઠેર – ઠેર દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વિદ્યાર્થીઓ – શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે લાઈફ લાઈન સમાન સુરત મહાનગર પાલિકાની બસ સેવામાં પીક અવર્સ દરમ્યાન કુલ કેપિસીટી કરતાં બે – ત્રણ ગણા મુસાફરોના દ્રશ્યો રોજીંદા જોવા મળતા હોય છે. આ સ્થિતિમાં કોરોનાના વધતાં કેસોને ધ્યાને રાખીને મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની દ્વારા સિટી બસો અને બીઆરટીએસમાં કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને કુલ કેપિસીટી કરતાં અડધા એટલે કે એક સીટ છોડીને એક સીટ પર મુસાફરોને બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તેમ છતાં આજે શહેરના અલગ – અલગ વિસ્તારોમાં સિટી બસ અને બીઆરટીએસમાં કેપિસીટી કરતાં પણ વધારે મુસાફરો મુસાફરી કરતાં નજરે પડ્યા હતા. આ અગાઉ પણ મનપાની તમામ કચેરીઓ સહિત સિટી બસમાં મુસાફરી કરનારાઓ માટે ફરજીયાત વેક્સિનેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જે હવે ભુતકાળ સાબિત થઈ રહ્યો છે અને એક પણ બસમાં મુસાફરોના વેક્સીનેશનની પૂછપરછ સુદ્ધાં કરવામાં આવતી નથી.

આ પણ વાંચો : Surat Corona Update: કોરોનાનો મહાવિસ્ફોટ: બપોર સુધી 550થી વધુ કેસ નોંધાયા, એક મહિલાનું મોત

આ પણ વાંચો : Surat : શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન 10 લાખ ટેસ્ટિંગ કીટ ખરીદશે

પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
g clip-path="url(#clip0_868_265)">