AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ

વિદ્યાર્થીઓ-શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે લાઈફ લાઈન સમાન સુરત મહાનગર પાલિકાની બસ સેવામાં પીક અવર્સ દરમ્યાન કુલ કેપિસીટી કરતાં બે - ત્રણ ગણા મુસાફરોના દ્રશ્યો રોજીંદા જોવા મળતા હોય છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ
File image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 3:48 PM
Share

અમદાવાદ (Ahmedabad) બાદ સુરત (Surat) શહેર કોરોના મહામારીના ત્રીજા તબક્કાની લહેરનું એપી સેન્ટર બનતાં સરકાર દ્વારા પણ એક પછી એક આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે અમદાવાદ ખાતે યોજાનાર પતંગોત્સવ, ફ્લાવર શો અને વાઈબ્રન્ટ સમિટ રદ કરવાના નિર્ણય બાદ હવે સુરતમાં આગામી 9મી તારીખે યોજાનાર પતંગ મહોત્સવ પણ રદ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશ-દુનિયાના અવનવા પતંગોને આકાશમાં વિહરતા જોવાના શોખીન સુરતીઓ માટે આ વર્ષે તાપી નદીના તટે 9મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ પતંગ મહોત્સવને હવે કોરોના મહામારીનું ગ્રહણ લાગી ચુક્યું છે અને કોરોનાના સતત વધતા કેસોને પગલે અંતે રાજ્ય સરકાર દ્વારા સુરત ખાતે યોજાનાર પતંગ મહોત્સવને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ મહાનગર પાલિકા દ્વારા પણ ગોપી ઉત્સવ સહિતના કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરનો આદેશ કાગળ પર 

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે લેવામાં આવતાં આકરા નિર્ણયો માત્ર કાગળના વાઘ પુરવાર થઈ રહ્યા છે. હાલમાં જ કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે બીઆરટીએસ અને સિટી બસોમાં કેપિસિટી કરતાં અડધા મુસાફરોને બેસાડવાના નિર્ણય ધરાર છેદ ઉડી રહ્યો હોય તેવા આજે સવારથી ઠેર – ઠેર દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વિદ્યાર્થીઓ – શ્રમિકો અને જરૂરિયાતમંદો માટે લાઈફ લાઈન સમાન સુરત મહાનગર પાલિકાની બસ સેવામાં પીક અવર્સ દરમ્યાન કુલ કેપિસીટી કરતાં બે – ત્રણ ગણા મુસાફરોના દ્રશ્યો રોજીંદા જોવા મળતા હોય છે. આ સ્થિતિમાં કોરોનાના વધતાં કેસોને ધ્યાને રાખીને મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની દ્વારા સિટી બસો અને બીઆરટીએસમાં કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને કુલ કેપિસીટી કરતાં અડધા એટલે કે એક સીટ છોડીને એક સીટ પર મુસાફરોને બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તેમ છતાં આજે શહેરના અલગ – અલગ વિસ્તારોમાં સિટી બસ અને બીઆરટીએસમાં કેપિસીટી કરતાં પણ વધારે મુસાફરો મુસાફરી કરતાં નજરે પડ્યા હતા. આ અગાઉ પણ મનપાની તમામ કચેરીઓ સહિત સિટી બસમાં મુસાફરી કરનારાઓ માટે ફરજીયાત વેક્સિનેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જે હવે ભુતકાળ સાબિત થઈ રહ્યો છે અને એક પણ બસમાં મુસાફરોના વેક્સીનેશનની પૂછપરછ સુદ્ધાં કરવામાં આવતી નથી.

આ પણ વાંચો : Surat Corona Update: કોરોનાનો મહાવિસ્ફોટ: બપોર સુધી 550થી વધુ કેસ નોંધાયા, એક મહિલાનું મોત

આ પણ વાંચો : Surat : શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન 10 લાખ ટેસ્ટિંગ કીટ ખરીદશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">