AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હુનર હાટે લોકોને રોજગારી જ નહીં નવી જિંદગી પણ આપી છે, વાંચો યુપીના યુવકનું કેવી રીતે બદલાયું જીવન

મોહમ્મદ શાકિરે જણાવ્યું હતું કે હુનર હાટમાંથી ફોન આવ્યો એટલે જીવતા છે બાકી મરી જતે . હુનર હાટે લોકોને રોજગારી અને મને તો બિઝનેસની સાથે સાથે જિંદગી પણ આપી છે .

Surat : હુનર હાટે લોકોને રોજગારી જ નહીં નવી જિંદગી પણ આપી છે, વાંચો યુપીના યુવકનું કેવી રીતે બદલાયું જીવન
Hunar Hatt Success Story
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:09 PM
Share

કોરોના મહામારીથી(Corona ) દેશભરમાં લોકડાઉન લાગુ થયું . જેને કારણે હજારો લોકો બેરોજગાર(Jobless ) બન્યા હતા . આવી જ પરિસ્થિતિ ઉત્તર પ્રદેશના ખુર્જામાં રહેતા 43 વર્ષીય મોહમ્મદ શાકિરની થઇ હતી . ચાર વર્ષ પહેલાં કોસ્મેટિકની દુકાન મહિને તેર હજાર રૂપિયાને ભાડે શરૂ હતી . પરંતુ લોકડાઉનને કારણે ધંધો – રોજગાર બંધ થઇ જતાં એક વર્ષ બેરોજગાર રહ્યા હતા . જેને કારણે દેવાદાર થઇ ગયા હતા .

પરિસ્થિતિ એટલી મુશ્કેલ બની ગઈ હતી કે એક સમયે તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો . હાલ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા હુનર હાટનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં દેશભરમાંથી કલાકારો – કારીગરો શિલ્પીકારો આવ્યા છે . હુનર હાટમાં આવા જ એક કારીગર ઉત્તર પ્રદેશના ખુર્જા શહેરમાંથી આવ્યા છે . આ શહેરને સિરામિક્સ સિટી કહેવામાં આવે છે .

મોહમ્મદ શાકિર સ્ટોલ નંબર 165 માં સિરામિક્સના વાસણ , પોર્ટ , રૂમ ફ્રેશનર વગેરે વેચવા લાવ્યા છે . 16 વર્ષની ઉંમરે અભ્યાસની સાથે સિરામિક્સનું કામ શીખ્યા , પરંતુ મજૂરી કામના પૈસા સમયસર મળ્યા ન હતા . આથી ઇલેક્ટ્રિશિયન કામ કર્યુ , પણ કામ મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડતું હતું . તે ગમતું નહી હતું . આથી ચાર વર્ષ પહેલાં કોસ્મેટિકની દુકાન શરૂ કરી હતી . સાથોસાથ પોતાના ગુરુ સાથે એક્ઝિબિશનમાં જતા તે અનુભવથી પોતે પણ એક્ઝિબિશનમાં જવાનું શરૂ કર્યુ હતું.

વર્ષ 2020 માં કોરોના મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું . દેશભરમાં લોકડાઉન લાગુ થયું અને મોહમ્મદ શાકિરની કોસ્મેટિકની દુકાન બંધ થઇ ગઇ . દર મહિને તેર હજાર રૂપિયા ભાડું ચૂકવવાનું સાથે છ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવાનું . પણ આવક શૂન્ય . એક વર્ષ સુધી બેરોજગાર રહ્યા . જેને કારણે તેમના માથે દસ લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું .

એક મિત્રએ તેમને હુનર હાટ વિશે કહ્યું હતું . દિલ્હીમાં યોજાયેલા હુનરહાટની  મુલાકાત લીધી . ત્યારબાદ સ્ટોલ માટે અરજી ફોર્મ ભર્યું હતું અને તેમને હુનર હાટમાંથી ફોન આવ્યો હતો . મોહમ્મદ શાકિરે જણાવ્યું હતું કે હુનર હાટમાંથી ફોન આવ્યો એટલે જીવતા છે બાકી મરી જતે . હુનર હાટે લોકોને રોજગારી અને મને તો બિઝનેસની સાથે સાથે જિંદગી પણ આપી છે .

પ્રથમ વખત જ હુનર હાટમાં આવ્યા અને સુરતના શહેરીજનો દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે . સુરત આવ્યા હતા ત્યારે દેવાદારોથી બચવા મોબાઇલ બંધ કરી દીધો હતો . પરંતુ અહીં એટલી સારી આવક થઇ રહી છે કે દેવાની રકમ થોડી થોડી ચૂકવી રહ્યા છે .

આ પણ વાંચો : Surat : છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના 100 કેસોમાંથી 51 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છતાં સંક્રમિત, બુસ્ટર ડોઝ જરૂરી : એક્સપર્ટ

આ પણ વાંચો : Surat : વરાછાવાસીઓની વર્ષો જૂની સરકારી કોલેજની માંગણી સંતોષાતા વિદ્યાર્થીઓને મોટી રાહત

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">