Surat : હુનર હાટે લોકોને રોજગારી જ નહીં નવી જિંદગી પણ આપી છે, વાંચો યુપીના યુવકનું કેવી રીતે બદલાયું જીવન

મોહમ્મદ શાકિરે જણાવ્યું હતું કે હુનર હાટમાંથી ફોન આવ્યો એટલે જીવતા છે બાકી મરી જતે . હુનર હાટે લોકોને રોજગારી અને મને તો બિઝનેસની સાથે સાથે જિંદગી પણ આપી છે .

Surat : હુનર હાટે લોકોને રોજગારી જ નહીં નવી જિંદગી પણ આપી છે, વાંચો યુપીના યુવકનું કેવી રીતે બદલાયું જીવન
Hunar Hatt Success Story
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:09 PM

કોરોના મહામારીથી(Corona ) દેશભરમાં લોકડાઉન લાગુ થયું . જેને કારણે હજારો લોકો બેરોજગાર(Jobless ) બન્યા હતા . આવી જ પરિસ્થિતિ ઉત્તર પ્રદેશના ખુર્જામાં રહેતા 43 વર્ષીય મોહમ્મદ શાકિરની થઇ હતી . ચાર વર્ષ પહેલાં કોસ્મેટિકની દુકાન મહિને તેર હજાર રૂપિયાને ભાડે શરૂ હતી . પરંતુ લોકડાઉનને કારણે ધંધો – રોજગાર બંધ થઇ જતાં એક વર્ષ બેરોજગાર રહ્યા હતા . જેને કારણે દેવાદાર થઇ ગયા હતા .

પરિસ્થિતિ એટલી મુશ્કેલ બની ગઈ હતી કે એક સમયે તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો . હાલ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા હુનર હાટનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં દેશભરમાંથી કલાકારો – કારીગરો શિલ્પીકારો આવ્યા છે . હુનર હાટમાં આવા જ એક કારીગર ઉત્તર પ્રદેશના ખુર્જા શહેરમાંથી આવ્યા છે . આ શહેરને સિરામિક્સ સિટી કહેવામાં આવે છે .

મોહમ્મદ શાકિર સ્ટોલ નંબર 165 માં સિરામિક્સના વાસણ , પોર્ટ , રૂમ ફ્રેશનર વગેરે વેચવા લાવ્યા છે . 16 વર્ષની ઉંમરે અભ્યાસની સાથે સિરામિક્સનું કામ શીખ્યા , પરંતુ મજૂરી કામના પૈસા સમયસર મળ્યા ન હતા . આથી ઇલેક્ટ્રિશિયન કામ કર્યુ , પણ કામ મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડતું હતું . તે ગમતું નહી હતું . આથી ચાર વર્ષ પહેલાં કોસ્મેટિકની દુકાન શરૂ કરી હતી . સાથોસાથ પોતાના ગુરુ સાથે એક્ઝિબિશનમાં જતા તે અનુભવથી પોતે પણ એક્ઝિબિશનમાં જવાનું શરૂ કર્યુ હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વર્ષ 2020 માં કોરોના મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું . દેશભરમાં લોકડાઉન લાગુ થયું અને મોહમ્મદ શાકિરની કોસ્મેટિકની દુકાન બંધ થઇ ગઇ . દર મહિને તેર હજાર રૂપિયા ભાડું ચૂકવવાનું સાથે છ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવાનું . પણ આવક શૂન્ય . એક વર્ષ સુધી બેરોજગાર રહ્યા . જેને કારણે તેમના માથે દસ લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું .

એક મિત્રએ તેમને હુનર હાટ વિશે કહ્યું હતું . દિલ્હીમાં યોજાયેલા હુનરહાટની  મુલાકાત લીધી . ત્યારબાદ સ્ટોલ માટે અરજી ફોર્મ ભર્યું હતું અને તેમને હુનર હાટમાંથી ફોન આવ્યો હતો . મોહમ્મદ શાકિરે જણાવ્યું હતું કે હુનર હાટમાંથી ફોન આવ્યો એટલે જીવતા છે બાકી મરી જતે . હુનર હાટે લોકોને રોજગારી અને મને તો બિઝનેસની સાથે સાથે જિંદગી પણ આપી છે .

પ્રથમ વખત જ હુનર હાટમાં આવ્યા અને સુરતના શહેરીજનો દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે . સુરત આવ્યા હતા ત્યારે દેવાદારોથી બચવા મોબાઇલ બંધ કરી દીધો હતો . પરંતુ અહીં એટલી સારી આવક થઇ રહી છે કે દેવાની રકમ થોડી થોડી ચૂકવી રહ્યા છે .

આ પણ વાંચો : Surat : છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના 100 કેસોમાંથી 51 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છતાં સંક્રમિત, બુસ્ટર ડોઝ જરૂરી : એક્સપર્ટ

આ પણ વાંચો : Surat : વરાછાવાસીઓની વર્ષો જૂની સરકારી કોલેજની માંગણી સંતોષાતા વિદ્યાર્થીઓને મોટી રાહત

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">