AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: હાર્દિકે કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે, નરેશ પટેલ બે દિવસથી અમારા સંપર્કમાં: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યું હતું કે નરેશ પટેલ (Naresh Patel )છેલ્લા બે દિવસથી મારા સતત સંપર્ક માં છે અને બે દિવસ અગાઉ નરેશ પટેલ સાથે બે કલાક જેટલી ચર્ચા પણ કરવામાં આવી છે અને નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા માગતા હોય તો તેમના માટે દરવાજા ખુલ્લા છે

Surat: હાર્દિકે કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે, નરેશ પટેલ બે દિવસથી અમારા સંપર્કમાં: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા
Raghu Sharma in Surat (File Image )
Baldev Suthar
| Edited By: | Updated on: May 21, 2022 | 12:00 PM
Share

ગુજરાતમાં (Gujarat) આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી (Election) આવવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની કમર કસી રહી છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે (Hardik Patel ) કોંગ્રેસને અલવિદા કહી દીધું છે તેને લઈને કોંગ્રેસના પ્રભારીએ સુરતમાં એક નિવેદન આપ્યું છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આજે સુરતના મહેમાન બન્યા હતા. તેઓએ નિવેદન આપ્યું છે કે હાર્દિકને કોંગ્રેસ પાર્ટીમાં તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં તેને તમામ જવાબદારી આપી દીધી હતી. કાર્યક્રમ તો પોતે કરવાના રહેતા હોય છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો તેમનો વિચાર આજકાલનો નહોતો. છેલ્લા ઘણા સમયથી જે ખિચડી રંધાય હતી, ત્યારબાદ હાર્દિકે આ રાજીનામું આપ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પાટીદાર સમાજના આગેવાન એવા નરેશ પટેલ અને હાર્દિક પટેલના રાજકારણને લઈને અનેક રીતે ચર્ચા વિચારણા અને નવી નવી વાતો સામે આવતી રહે છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આજે સુરતની મુલાકાતે હતા અને કોંગ્રેસના આગેવાનો સાથે દક્ષિણ ગુજરાતમાં બારડોલી ખાતે બેઠક યોજાવાની છે, તેમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ ચર્ચા વિચારણા થઈ શકે છે. ત્યારે રઘુ શર્માને પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે, તે સવાલ પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યો હતો.

જેના જવાબમાં રઘુ શર્માએ જણાવ્યું હતું કે નરેશ પટેલ છેલ્લા બે દિવસથી મારા સતત સંપર્ક માં છે અને બે દિવસ અગાઉ નરેશ પટેલ સાથે બે કલાક જેટલી ચર્ચા પણ કરવામાં આવી છે અને નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા માગતા હોય તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. ત્યારે આ તમામ વાતોને અટકળો ઉપરથી કહી શકાય છે કે જે રીતે રાજકારણ ગરમાઈ રહ્યું છે. હવે જોવાનું એ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાય છે તેના પર લોકોની નજર મંડાઇ રહી છે. જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી છોડતા તેમણે જણાવ્યું હતું કે આજકાલનું નથી પણ છેલ્લા ઘણા સમયથી તેણે ખીચડી રાંધી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે હાર્દિક પટેલને નાની ઉંમરમાં ઘણું બધું આપ્યું હતું છતાં તેણે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હાર્દિક પટેલને તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. રાજકીય કાર્યક્રમો તો તેણે પોતે કરવાના હોય છે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">