AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ઉધના યાર્ડ મહિલા હત્યા પ્રકરણમાં જીઆરપી પોલીસે માતાનું છત્ર ગુમાવનાર બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન, ભાવુક દ્રશ્યો સર્જાયા

સુરત જીઆરપી પોલીસ મથકના પીઆઇ કે.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે રીટા દેવી ઉર્ફે લક્ષમીનાની હત્યા થયા બાદ તેની માસુમ પુત્રી સુરત સ્ટેશન ખાતેથી બિનવારસી હાલતમાં મળી હતી.જેથી તેને કતારગામ બાળશ્રમમાં રાખવામાં આવી હતી.તપાસ દરમિયાન રેલ્વે પોલીસે બિહારના ભોજપુર ખાતે આવેલ નારાયણપુરા ખાતે બાળકીના દાદા ક્રિષ્ણા ચૌધરી અને મોટા પપ્પા હરેરામ ચૌધરીનો સમ્પર્ક કર્યો હતો

Surat: ઉધના યાર્ડ મહિલા હત્યા પ્રકરણમાં જીઆરપી પોલીસે માતાનું છત્ર ગુમાવનાર બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન, ભાવુક દ્રશ્યો સર્જાયા
Surat GRP police reunite with family of girl
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:22 PM
Share

મર્ડરનો આ કેસ ડિટેકટ કરવા કરતા અમને વધારે એ વાતનો આનંદ અને સંતોષ છે કે માસુમ બાળકીનું(Girl) તેના દાદા સાથે મિલન કરાવ્યું.આ વાક્યો છે સુરત(Surat)જીઆરપી પોલીસ(Police) મથકના પીઆઇ કે.એમ.ચૌધરીના હતા.તેઓએ કહ્યું હતું કે ઉધના યાર્ડમાં સગર્ભા મહિલાની હત્યા કેસમાં ગણતરીના દિવસોમાં કેસને ડિટેકટ કરી આરોપીને ઝડપી પાડયા છે.આરોપી હાલમાં રિમાન્ડ પર છે.જોકે બીજી બાજુ મૃતકાની એક માસૂમ પુત્રી હતી.જેને માતાની છત્રછાયા ગુમાવી દેતા કતારગામ બાળાશ્રમમાં મુકવામાં આવી હતી.બાળકી સતત રડતી હતી અને આમતેમ માતાને શોધતી રહેતી.તપાસ દરમિયાન બિહારના ભોજપુર ખાતે રહેતા બાળકીના દાદા અને મોટા પપ્પાનું સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને સુરત બોલાવી બાળકીને દાદાને સોંપવામા આવી હતી.

માસુમ બાળકી હાલમાં સુરતના બાળાશ્રમ

સુરત જીઆરપી પોલીસ મથકના પીઆઇ કે.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે રીટા દેવી ઉર્ફે લક્ષમીનાની હત્યા થયા બાદ તેની માસુમ પુત્રી સુરત સ્ટેશન ખાતેથી બિનવારસી હાલતમાં મળી હતી.જેથી તેને કતારગામ બાળશ્રમમાં રાખવામાં આવી હતી.તપાસ દરમિયાન રેલ્વે પોલીસે બિહારના ભોજપુર ખાતે આવેલ નારાયણપુરા ખાતે બાળકીના દાદા ક્રિષ્ણા ચૌધરી અને મોટા પપ્પા હરેરામ ચૌધરીનો સમ્પર્ક કર્યો હતો.અને તેમની વહુ રીટાદેવીની હત્યાથી લઈને તેની માસુમ બાળકી હાલમાં સુરતના બાળાશ્રમ છે વિગેરે તમામ હકીકત જણાવી બાળકીને લઇ જવા માટે સમજાવવામાં આવ્યું હતું.

માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ આપ્યું

જેથી તેના દાદા અને મોટા પપ્પા પરમ દિવસે બિહારથી સુરત આવ્યા હતા.ત્યાર બાદ તમામ જરૂરી પ્રોસેસ પુરી કરી માસુમ બાળકીને તેના દાદા સાથે મિલન કરાવ્યું હતું.માતાના મોત બાદ સતત તેણીને આમતેમ શોધથી અને માતાંના વિરહમ રડતી આ માસુમ બાળકીએ જયારે તેના દાદાને જોઈ ત્યારે તેના ચેહરા પર મુસ્કાન આવી ગઈ હતી અને તે દાદાને વળગી ગઈ હતી.જયારે પૌત્રીને જોઈ દાદાની આંખોમાંથીમાં પણ આસું ટપકવા લાગ્યા ગયા હતા.દાદા-પૌત્રીના મિલનના દ્રશ્યો ભાવનાત્મક બની ગયા હતા.એવું કહી શકાય છે કે આ સમગ્ર કેસમાં ગુનો ઉકેલી સુરત જીઆરપી પોલીસે પોતાની ફરજ બજાવવાની સાથો સાથ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ આપ્યું છે.

આ પણ વાંચો :  Ahmedabad: અરવિંદ કેજરીવાલે કર્યો મિશન ગુજરાતનો પ્રારંભ, ભગવત માન સાથે કરી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું ”આશ્રમમાં આવીને શાંતિનો અનુભવ થયો”

આ પણ વાંચો : Navsari: સ્કૂલ વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે પોસ્ટ કર્યો અશ્લીલ વીડિયો, સ્કૂલ સંચાલકોએ શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી  

Follow Us
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">