Surat : રાજ્યમાં પહેલી વખત સુરત મનપા ગટરનું ગંદુ પાણી વેચીને આવક ઉભી કરશે

સૌથી મહત્વની બાબત છે કે અત્યારસુધી રાજ્યની કોઈપણ મનપા દ્વારા ગંદુ પાણી વેચીને આવક ઉભી કરી નથી. ગંદા પાણીના વેચાણથી મનપાને 15 વર્ષમાં 20 કરોડ રૂપિયાની આવક ઉભી થશે.

Surat : રાજ્યમાં પહેલી વખત સુરત મનપા ગટરનું ગંદુ પાણી વેચીને આવક ઉભી કરશે
SMC generate revenue by selling sewage water
Follow Us:
| Updated on: Dec 17, 2021 | 1:38 PM

સુરત મહાનગર પાલિકાની(Surat Municipal Corporation ) સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક મહત્વના કામોને મંજૂરી આપવામાં આવી હતી. 49 પૈકી બે સિવાય એજન્ડાના તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અગત્યના કામમાં ડ્રેનેજના પાણીને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. શહેરના બે સૌથી મોટા બગીચાઓની જાળવણી અને સ્થાપનાથી થતી જંગી આવકની સાથે સાથે તેમજ સીસી રોડનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષના સમયગાળા માટે આપવામાં આવ્યો હતો. હવે તેને દસ વર્ષ સુધી લંબાવવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા હવે ગટરના પાણીને ટ્રીટ કરીને ઔદ્યોગિક ગૃહોમાં ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા પાણી શુદ્ધિકરણ (સુએઝ વોટર ટ્રીટમેન્ટ) માટે 165 કરોડની બચત થશે. 20 વર્ષમાં થયેલા ખર્ચની સામે કોર્પોરેશનને 20 કરોડની આવક થશે. ડ્રેનેજ સિસ્ટમ એવી રીતે ગોઠવી શકાય કે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય, આનાથી પાણીનો ખર્ચ પણ ઘટશે.

શહેરના બે મોટા બગીચાઓની જાળવણી અને આ બગીચાઓને  નવા રૂપથી શણગારવામાં આવશે. જેમાં પીપીપીના ધોરણે જાળવણી અને વિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. ભેસ્તાન અને ઉગત ગાર્ડન પીપીપી ધોરણે વિકસાવવામાં આવશે. કોર્પોરેશનને 20 વર્ષમાં આ બંને બગીચામાંથી રૂ.17.25 કરોડની આવક થશે. તેમજ તેના  જાળવણી અને વિકાસ પાછળ દર વર્ષે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો જે પણ હવે પછી આવકના રૂપે પાછો મળશે. એટલે કે કોર્પોરેશનને એક વર્ષમાં 30 થી 35 કરોડની બચત થશે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનને પ્રથમ વખત ગટરના પાણીથી આવક થવા જઈ રહી છે. પીપીપીના આધારે બગીચા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કોર્પોરેશનને સારી આવક થશે. સોસાયટીઓની સાથે અન્ય રસ્તાઓ અંગે પણ ભારે ચર્ચા છે, હવે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવતા રસ્તાના પ્રકારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સીસી રોડ માટે માત્ર પાંચ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. હવે તેને 10 વર્ષ સુધી તેની તાકાત જાળવી રાખવા માટે કરાર કરવામાં આવ્યો છે. 10 વર્ષ સુધી સીસી રોડની જાળવણી કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરોની રહેશે.

તેમને ઉમેર્યું હતું કે મનપા દ્વારા 30 એમએલડી ગંદુ પાણી રોજ સપ્લાય કરવામાં આવશે. સૂચિત સાઈટ સુધી પાઈપલાઈન સહિતનું નેટવર્ક મનપા દ્વારા નાંખવામાં આવશે અને આ અંગેનો તમામ ખર્ચ મનપા દ્વારા ચુકવવામાં આવશે. સૌથી મહત્વની બાબત છે કે અત્યારસુધી રાજ્યની કોઈપણ મનપા દ્વારા ગંદુ પાણી વેચીને આવક ઉભી કરી નથી. ગંદા પાણીના વેચાણથી મનપાને 15 વર્ષમાં 20 કરોડ રૂપિયાની આવક ઉભી થશે.

આ પણ વાંચો : Surat : હુનર હાટે લોકોને રોજગારી જ નહીં નવી જિંદગી પણ આપી છે, વાંચો યુપીના યુવકનું કેવી રીતે બદલાયું જીવન

આ પણ વાંચો : Surat : છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના 100 કેસોમાંથી 51 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છતાં સંક્રમિત, બુસ્ટર ડોઝ જરૂરી : એક્સપર્ટ

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">