AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરત જિલ્લા આવેલા ઔધોગિક એકમોમાં ફાયર સેફટી અને મજુર કાયદાનું પાલન ઝીરો, કલેક્ટરને રજુઆત

વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ઔધોગિક એકમોં તથા મિલોના માલિકો દ્વારા સુડાના એફ.એસ.આઈ ના તથા કલેકટર અને જિલ્લા પંચાયતના એન.એ. વિભાગના નિયમોની ઉપરવટ જઈને બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

Surat : સુરત જિલ્લા આવેલા ઔધોગિક એકમોમાં ફાયર સેફટી અને મજુર કાયદાનું પાલન ઝીરો, કલેક્ટરને રજુઆત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 2:51 PM
Share

સુરત શહેર (City )તથા સુરત જિલ્લાના વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમો તથા મિલોમાં બાંધકામ ફાયરસેફટી(Fire Safety ) તથા મજુર કાયદાના પાલનનું તપાસ કરાવવા જિલ્લાના સ્થાનિક સહકારી આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે. આવેદન પત્રમાં તેમણે જણાવ્યું છે કે સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાં અનેક ઔધોગિક એકમો તથા મિલોમાં વિવા પેકેજીંગ મિલ જેવી દુર્ઘટના ફરી બને નહીં તે માટે પગલાં ભરી સાવચેતી રાખવી જરૂરી છે.

કારણ કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ઔધોગિક એકમોં તથા મિલોના માલિકો દ્વારા સુડાના એફ.એસ.આઈ ના તથા કલેકટર અને જિલ્લા પંચાયતના એન.એ. વિભાગના નિયમોની ઉપરવટ જઈને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બાંધકામ પણ એવી રીતે કરવામાં આવે છે કે ઈમરજન્સીના સમયે ફાયર ફાઇટરને પણ દુર્ઘટનાનો ભોગ બનવું પડી શકે છે. અને તે જગ્યાએ જવામાં અગવડ પડી શકે છે.

અનેક ઔધોગિક એકમો તથા મિલોમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ફાયર સેફટીના નિયમો માત્ર કાગળ પર જ ચલાવવામાં આવી રહ્યા છે. અનેક ઔધોગિક એકમો અને મિલો તો એવી પણ છે જેમાં મજુર કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તથા બાળ મજૂરોને પણ મજૂરીએ રાખીને કામ કરાવવામાં આવી રહ્યું છે.

ઔધોગિક એકમો તથા મિલો દ્વારા નીતિનિયમોનું ઉલ્લંઘન કરતા જણાય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેમજ સુરત જીલલ્સમાં વરેલી ગામ ખાતે આવેલ વિવા પેકેજીંગ મિલમાં આગ લાગવાની ઘટનામાં જે પણ કો કામદારોના મૃત્યુ થયા છે તેમના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવી જોઈએ તેમજ વિવા મિલના સંચાલકો દ્વારા જો નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહિ હોય તો તેઓ સરકારી રિપોર્ટ સ્થળ તપાસમાં જો આ વાતની સાબિતી થાય તો તેમની સામે ફોજદારી રાહે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે સુરતના વરેલી વિસ્તારમાં વિવા પેકેજીંગ મિલમાં ગઇકાલે લાગેલી આગની દુર્ઘટનાએ ફાયર વિભાગને દોડતી કરી દીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ ન હતી. પરંતુ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખવાની પણ તાતી જરૂર છે.

આ પણ વાંચો : Surat : ખેડૂતો માટે પડ્યા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા હાલત કફોડી

આ પણ વાંચો : Surat: કડોદરા GIDCની મિલમાં લાગી ભીષણ આગ, એક કામદારનું મોત, જીવ બચાવવા ઉપરથી કુદી પડ્યા મજૂરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">