Surat: બાબા રામદેવના નિવેદન બદલ આજે ડોક્ટરોએ ઉજવ્યો બ્લેક ડે, પગલાં ભરવાની કરી માગ

યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev) મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. બાબા રામદેવે ડૉક્ટર્સ વિરુદ્ધ કરેલી ટિપ્પણીએ હવે ઘમાસાણરૂપ લઈ લીધું છે.

Surat: બાબા રામદેવના નિવેદન બદલ આજે ડોક્ટરોએ ઉજવ્યો બ્લેક ડે, પગલાં ભરવાની કરી માગ
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 01, 2021 | 1:59 PM

Surat : યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev) મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. બાબા રામદેવે ડૉક્ટર્સ (Doctors) વિરુદ્ધ કરેલી ટિપ્પણીએ હવે ઘમાસાણરૂપ લઈ લીધું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્વારા પણ બાબા રામદેવને તેમણે કરેલા નિવેદન બદલ લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

આજે દેશભરમાં અને રાજ્યભરમાં રામદેવ બાબા વિરુદ્ધ બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો. ફેડરેશન ઓફ રેસિડન્ટ ડૉક્ટર્સ અને જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિરોધમાં જોડાયેલા ડૉક્ટરોનું કહેવું હતું કે બાબા રામદેવે એલોપેથી સાથે સંકળાયેલા તબીબોનું અપમાન કર્યું છે. વેકસિનથી લોકોના મોત થયા છે એ ગેરજવાબદારીભર્યું અને વાહિયાત નિવેદન છે. તેમણે આ નિવેદન આપીને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન વિશે જુઠ્ઠાણું અને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડોકટરોએ આજે સુરત સિવિલ કેમ્પસમાં બાબા રામદેવ માફી માંગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તેની ધરપકડ થવી જોઈએ તેવી પણ માંગણી ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. એલોપેથી ડોક્ટરો આયુર્વેદિક ઉપચારની વિરોધમાં નથી. પણ આ પ્રકારનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને સરકારે તેમના વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી.

આજે દેશ સહિત રાજ્યભરમાં જેટલા પણ તબીબો, નર્સિંગ સ્ટાફ કોરોના ડ્યુટીમાં જોડાયેલા છે તેઓએ રામદેવ બાબા વિરુદ્ધ દેખાવો કર્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ ડીપી બ્લેક રાખીને નારાજગી વ્યક્ત કરી હતી.

આ દરમ્યાન દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ નહિ પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં જો સરકાર કોઈ પગલાં નહિ ભરે તો વિરોધ કાર્યક્રમ યથાવત રાખવાની ચીમકી પણ તબીબો દ્વારા ઉચ્ચારવામા આવી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">