Surat : સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગતા પક્ષમાં કચવાટ, પ્રજાલક્ષી કામ ન થતા નારાજગી

છેલ્લા કેટલાક સમયથી નાનપુરા માછીવાડ વિસ્તારના રહીશો રસ્તાની સમસ્યાથી ત્રાસી ગયા છે . લાંબા સમયથી કામગીરી પૂરી નહીં થતાં લોકોમાં આંતરીક રોષની લાગણી પ્રવર્તી રહી છે . જેને પગલે રાતોરાત લાગેલા ભાજપ વિરોધી બેનર પાછળ પક્ષના જ દુભાયેલા માથાઓનો આંતરીક ઉકળાટ જાહેરમાં છલકાયો હોવાનો ગણગણાટ ઉઠ્યો છે.

Surat : સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગતા પક્ષમાં કચવાટ, પ્રજાલક્ષી કામ ન થતા નારાજગી
Banner in Nanpura (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 9:22 AM

નાનપુરા (Nanpura )માછીવાડ ભાજપનો ગઢ કહેવાય છે . વર્ષોથી અહીં પ્રત્યેક ચૂંટણીમાં ભાજપ(BJP)  તરફી મતદાન થઇ રહ્યું છે . ચૂંટણી લડનારા ઉમેદવારો અને રાજકીય આગેવાનો અહીં કેસરીયા કરતા આવ્યા છે . આ વાસ્તવિકતા છે પણ અહીં તેનાથી ઉલટું ભાજપ તરફી અસંતોષ હવે જાહેરમાં દેખાયો છે .

નાનપુરા માછીવાડ ચારરસ્તા ઉપર ભાજપ વિરુદ્ધ બેનરો લાગ્યા

સુરત મહાનગરપાલિકાન વોર્ડ નંબર 21 ના કોર્પોરેટરોને માત્ર નવા બાંધકામમાં જ રસ છે તેવા બેનરો લગાવવામાં આવતા રાજકીય માહોલ ગરમાટો છવાયો છે . રાજકીય ઇશારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં કેબિનેટ મંત્રી અને સ્થાનિક કોર્પોરેટરો સામે ખુલ્લો રોષ પ્રગટ કરાયો છે . નાનપુરા માછીવાડમાં વોટ માંગવા આવવું નહીં . વિકાસ ફરી ગાંડો થયો છે . કોટ વિસ્તારમાં વિકાસ ખાડામાં પડ્યો છે . વિકાસના નામે ઉઘાડી લૂંટ એ સહિતના લખાણો બેનર સ્વરૂપે લખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

બેનરમાં વધુમાં લખવામાં આવ્યું છે કે પૂર્ણેશ મોદી કહે છે . ફોન કરો રોડ રસ્તા અને ખાડા પુરાઈ જશે . વિકાસના નામે શૂન્ય વિકાસ ફરી ગાંડો થયો છે . નગર સેવકો નામ ના  ભ્રષ્ટાચાર કરવાના કામ ના અને વિકાસ ફરી ગાંડો થયો છે . વોર્ડ નં . 21 ના નગર સેવક માત્ર નવુ બાંધકામ ક્યા થતું હોઈ એન જાણકારી રાખે છે . નગર સેવક ના માણસો પાસે તોડબાજી કરવાનુંકાવતરું છે અને વિશ્વાસના નામે ઝીરો વિકાસ ફરી ગાંડો થયો છે . નાનપુરા માછીવાડમાં વોટની ભીખ માંગવા આવવું નહીં. કોટ વિસ્તારમાં વિકાસ ખાડામાં પડયો છે . વિકાસ ના નામે ઉઘાડી લુંટ એવું બેનરમાં લખવામાં આવ્યું છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

પાલિકાના વોર્ડ નં . 21 માં ભાજપના નગરસેવકોની પેનલ છે . બેનરમાં તેમની સામે પણ શાબ્દિક રોષ વ્યક્ત કરાયો છે . વોર્ડ નં . 21 ના નગરસેવકોને માત્ર નવું બાંધકામ ક્યાં થઇ રહ્યું છે . એની જાણકારી રાખવી . નગરસેવકના માણસો પાસે તોડબાજી કરવાનું કાવતરું હોવાનું કહીને શાબ્દિક ભડાશ પણ કાઢવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી નાનપુરા માછીવાડ વિસ્તારના રહીશો રસ્તાની સમસ્યાથી ત્રાસી ગયા છે . લાંબા સમયથી કામગીરી પૂરી નહીં થતાં લોકોમાં આંતરીક રોષની લાગણી પ્રવર્તી રહી છે . જેને પગલે રાતોરાત લાગેલા ભાજપ વિરોધી બેનર પાછળ પક્ષના જ દુભાયેલા માથાઓનો આંતરીક ઉકળાટ જાહેરમાં છલકાયો હોવાનો ગણગણાટ ઉઠ્યો છે.

આ પણ વાંચો :

Surat : હવે સરકારી શાળાઓ ડિજિટલાઇઝેશન તરફ, સુમન શાળામાં ડિજિટલ વર્ગમાં અભ્યાસ કરશે વિદ્યાર્થીઓ

Surat : ડાયમંડ અને ટેક્સ્ટાઇલ બાદ હવે કેળા અને દાડમ બનશે સુરતના એકસપોર્ટની નવી ઓળખ

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">