Surat : રોજની 50 કરતા વધુ ફ્લાઇટ છતાં સુરત એરપોર્ટ CISF સુરક્ષાથી વંચિત

એક લાખ યાત્રીઓ છતાં એકમાત્ર સુરત એરપોર્ટને હજી સુધી સીઆઇએસફ ની સિક્યોરિટી આપવામાં આવી નથી.

Surat : રોજની 50 કરતા વધુ ફ્લાઇટ છતાં સુરત એરપોર્ટ CISF સુરક્ષાથી વંચિત
Surat: Despite more than 50 daily flights, Surat airport lacks CISF security
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:28 PM

કેન્દ્ર સરકારના ગુરહમંત્રાલય દ્વારા સુરત એરપોર્ટ(surat airport ) ખાતે 360 જેટલા સીઆઇએસએફના(CISF) જવાનોના મહેકમને ફાળવવાના આદેશ પછી હજી પણ એકેય જવાનોની નિયુક્તિ કરવામાં આવી નથી. વધુમાં સુરત એરપોર્ટ દ્વારા 360 ના બદલે 260 જેટલા જવાનોની જ માંગ કરવામાં આવતા નવો વિવાદ પણ ઉભો થયો છે.

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા કસ્ટમ નોટીફાઈડ સુરત એરપોર્ટ માટે 9 જૂન 2020ના રોજ 360 સીઆઇએસએફના જવાનોનું મહેકમ મંજુર કર્યું  હતું.આ મન્જુરી મલતાના 1 વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. છતાં હજી સુધી અહીં એકેય સીઆઈએસએફ જવાનોની નિયુક્તિ કરવામાં આવી નથી.

જેમાં સુરત એરપોર્ટ ઓથોરિટીનું પણ ઉદાસીન વલણ સામે આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાછળ એક વર્ષમાં સીઆઇએસએફના જવાનો માટે રહેઠાણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એરપોર્ટ ઓથોરિટીને ત્રણ વાર પત્ર લખવામાં આવ્યો હોવા છતાં કોઈ કામગીરી થઇ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મળતી માહિતી પ્રમાણે વધુમાં હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 26 જુલાઈ 2021ના રોજ સીઆઇએસએફના હેડક્વાર્ટરને એક પત્ર લખ્યો છે. જેમાં 360ને બદલે માત્ર 260 જવાનો મોકલવા વિનંતી કરાઈ છે. દેશમાં પહેલી આવી ઘટના છે જેમાં એરપોર્ટની સુરક્ષા(security ) માટે કેન્દ્ર દ્વારા મંજુર મહેકમ કરતા ઓછા જવાનોની માંગણી કરવામાં આવી છે.

ગૃહમંત્રાલય દ્વારા 3 શિફ્ટમાં સુરત એરપોર્ટની સુરક્ષા કરી શકાય તે માટે 360 જવાનો ફાળવવામાં આવ્યા હતા. ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ ફ્લાઈટ્સ અને પેસેન્જર ટ્રાફિક ઓછું હોવાનું કારણ ધરીને બે શિફ્ટમાં જવાનો પાસે કામ કરાવવાનું નક્કી કરી 260 જવાનો જ મોકલવા પત્ર લખ્યો છે. સુરત એરપોર્ટ પર દૈનિક 42 ફ્લાઇટ અને 1 લાખ પેસેન્જરનું ટ્રાફિક હોય ત્યારે ઓછા બંદોબસ્તની માંગણી વિવાદી છે.

રાજકોટ અને ભાવનગર જેવા ઓછા પેસેન્જર ટ્રાફિક ધરાવતા હોવા છતાં 250 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ધરાવે છે. ટેરર અટેક, વીઆઈપી અવરજવર, બોમ્બની ધમકી જેવા ખતરા સામે સીઆઇએસએફની સિક્યોરિટી જરૂરી છે. ભારતમાં એવું કોઈ એરપોર્ટ નથી જ્યાં માસિક એરાઇવલ અને ટેકઓફ થતી ફ્લાઈટમાં 1લાખથી વધુ યાત્રીઓની અવરજવર હોય અને સીઆઇએસએફની સુરક્ષા ન હોય. હાલ સુરત એરપોર્ટ પર દૈનિક 50 થી વધુ ફ્લાઈટનું આવાગમન થઇ રહ્યું છે છતાં આ સિક્યોરિટી લાવવા માટે અધિકારીઓ ઉણા ઉતર્યા છે. આ મામલે આગામી દિવસોમાં સાંસદોને પણ રજૂઆતો કરવામાં આવશે.

આ પણ વાંચો :

Surat: મૃત્યુ બાદ 13 અંગોનું દાન કરીને 12 વ્યક્તિમાં સુરતનાં આ બે ભાઈબંધ જીવતા રહેશે

Surat : મહિલાએ કરી કમાલ : વિષ્ણુ ભગવાનના 1000 નામ અને અર્થ રેશમના દોરાથી લખી નાખ્યા, જુઓ કેવી દેખાશે નામાવલી

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">