AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પાલ વિસ્તારમાં ઝાડ પર યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય

Surat News : યુવકનો મૃતદેહ જે રીતે ઝાડ પર લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો, તેને લઈ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પ્રશ્ન ઉપજી રહ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Surat : પાલ વિસ્તારમાં ઝાડ પર યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 15, 2023 | 5:53 PM
Share

સુરત શહેરના પાલ વિસ્તારમાં આજે આંબાના ઝાડ સાથે એક યુવકનો ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ પોલીસને થતા પાલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. યુવકનો મૃતદેહ જે રીતે ઝાડ પર લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો, તેને લઈ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પ્રશ્ન ઉપજી રહ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલ સ્થિત કેનાલ રોડ પાસે આવેલા ખેતરમાં એક આંબાના ઝાડ સાથે આજે એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવકના મૃતદેહને લટકતો દેખાતા ઘટના સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. આ રીતે લટકતા મૃતદેહને જોઈ લોકોમાં ભારે ચકચાર મચી હતી. જેને લઇ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇ પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

યુવક અંગે જાણકારી મેળવવામાં આવી

ઘટના સ્થળે પોલીસ પહોંચીને યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો અને યુવક વિશે તપાસ શરૂ કરી હતી. જ્યા પોલીસને જાણવા મળ્યું હતું કે મરનાર 30 વર્ષનો યુવક અનિશ ગોવિંદ પ્રસાદ શાહુ છે. તે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને અઠવાડિયા પહેલા જ સુરત ખાતે આવ્યો હતો. સુરતમાં રહેતા તેના પરિચિતો અને સ્વજનોના ઘરે રહેતો હતો. મધ્યપ્રદેશથી તે રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.

હત્યા કે આત્મહત્યા ?

30 વર્ષીય અનિશ પ્રસાદ શાહુનો મૃતદેહ આંબાના ઝાડ સાથે જે રીતે લટકતો મળી આવ્યો છે, તે જોતા તેની મોત પાછળ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. મરનાર યુવકના મૃતદેહ નજીકથી અનાજમાં નાખવાની દવા પણ મળી આવી છે. જેને લઇ આ યુવકની કોઈએ હત્યા કરી છે કે પછી આપઘાત કર્યો છે તે રહસ્ય છે. પાલ પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે યુવકના મૃતદેહ અંગે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે અને યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">