Surat : પાલ વિસ્તારમાં ઝાડ પર યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય

Surat News : યુવકનો મૃતદેહ જે રીતે ઝાડ પર લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો, તેને લઈ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પ્રશ્ન ઉપજી રહ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Surat : પાલ વિસ્તારમાં ઝાડ પર યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 15, 2023 | 5:53 PM

સુરત શહેરના પાલ વિસ્તારમાં આજે આંબાના ઝાડ સાથે એક યુવકનો ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ પોલીસને થતા પાલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. યુવકનો મૃતદેહ જે રીતે ઝાડ પર લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો, તેને લઈ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પ્રશ્ન ઉપજી રહ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલ સ્થિત કેનાલ રોડ પાસે આવેલા ખેતરમાં એક આંબાના ઝાડ સાથે આજે એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવકના મૃતદેહને લટકતો દેખાતા ઘટના સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. આ રીતે લટકતા મૃતદેહને જોઈ લોકોમાં ભારે ચકચાર મચી હતી. જેને લઇ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇ પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

યુવક અંગે જાણકારી મેળવવામાં આવી

ઘટના સ્થળે પોલીસ પહોંચીને યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો અને યુવક વિશે તપાસ શરૂ કરી હતી. જ્યા પોલીસને જાણવા મળ્યું હતું કે મરનાર 30 વર્ષનો યુવક અનિશ ગોવિંદ પ્રસાદ શાહુ છે. તે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને અઠવાડિયા પહેલા જ સુરત ખાતે આવ્યો હતો. સુરતમાં રહેતા તેના પરિચિતો અને સ્વજનોના ઘરે રહેતો હતો. મધ્યપ્રદેશથી તે રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હત્યા કે આત્મહત્યા ?

30 વર્ષીય અનિશ પ્રસાદ શાહુનો મૃતદેહ આંબાના ઝાડ સાથે જે રીતે લટકતો મળી આવ્યો છે, તે જોતા તેની મોત પાછળ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. મરનાર યુવકના મૃતદેહ નજીકથી અનાજમાં નાખવાની દવા પણ મળી આવી છે. જેને લઇ આ યુવકની કોઈએ હત્યા કરી છે કે પછી આપઘાત કર્યો છે તે રહસ્ય છે. પાલ પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે યુવકના મૃતદેહ અંગે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે અને યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">