Surat: કોરોનાએ હોટલ ઇન્ડસ્ટ્રીઝને પણ મૂકી દીધી વેન્ટિલેટર પર, 70 ટકા રેસ્ટોરન્ટ બંધ

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રી પર સૌથી વધુ અસર પડી રહી છે. પહેલી અને બીજી લહેરમાં સુરતની 50 થી 75 ટકા હોટેલ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે.

Surat: કોરોનાએ હોટલ ઇન્ડસ્ટ્રીઝને પણ મૂકી દીધી વેન્ટિલેટર પર, 70 ટકા રેસ્ટોરન્ટ બંધ
70 ટકા રેસ્ટોરન્ટ બંધ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 09, 2021 | 2:14 PM

ખાણીપીણી માટે જાણીતા સુરત શહેરમાં નાની મોટી 600 અને દક્ષિણ ગુજરાતમાં 3 હજાર જેટલી નાની મોટી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ આવેલી છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના કારણે લોકડાઉન અને અનલોક પર સરકાર દ્વારા જ લાગુ પાડવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનમાં સૌથી પહેલા બંધ થનારી ઇન્ડસ્ટ્રી કોઈ હતી તે હોટેલ ઇન્ડસ્ટ્રી હતી અને સૌથી છેલ્લે શરૂ થનારી ઇન્ડસ્ટ્રી પણ હોટેલ ઇન્ડસ્ટ્રી જ હતી.

સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સ અને વીજળી બીલના ફિક્સ ચાર્જમાં આપવામાં આવેલી રાહત ફૂલ નહીં પણ ફુલની પાંદડી સમાન જ સાબિત થશે. કારણ કે કોરોના દર્દી જેવી હાલત હાલ સુરતની અને સાઉથ ગુજરાતની હોટેલ ઇન્ડસ્ટ્રીઝની થઈ છે. હાલ આ ઇન્ડસ્ટ્રી વેન્ટિલેટર પર મુકાઈ ગઈ છે.

હજી પણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઘણી રજૂઆતો સરકાર સમક્ષ કરવામાં આવી છે જેમાં રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ફેસિલિટી પહેલાની જેમ શરૂ કરવા, ટેક અવેની સુવિધા જો ચાલુ રાખવી હોય તો તેની સમય અવધિ વધારવા, 18 ટકા જીએસટીની જગ્યાએ પાંચ ટકા જીએસટી લેવા જેવી માંગણી હજી પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સાઉથ ગુજરાત હોટેલ એસોસિયેશનના ઉપપ્રમુખ સનત રેલીયાએ જણાવ્યું હતું કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સુરતની 50 થી 75 ટકા હોટેલ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે. હાલ માત્ર 25 ટકા હોટેલ ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે. સરકારે જે રાહત આપી છે તે પૂરતી નથી. કારણ કે ભાડેથી ચાલતી રેસ્ટોરન્ટ પર હજી 18 ટકા જીએસટી લેવામાં આવે છે, વીજબિલમાં ફિક્સ ચાર્જ ફક્ત મોટી હોટેલો માટે જ ફાયદાકારક છે. આ રજૂઆતો માટે પણ સરકાર વિચાર કરે તે જરૂરી છે.

અન્ય એક રેસ્ટોરન્ટ ઓનરના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં આટલા કેસો વચ્ચે પણ હોટેલ રેસ્ટોરન્ટને છૂટછાટ આપવામાં આવી છે. ટેક અવેની સુવિધાથી કોઈ મોટો ફાયદો નથી થઈ રહ્યો. કારણ કે લોકો પિઝા બર્ગર સિવાય બીજું કંઈ ઓર્ડર કરી શકતા નથી. ઉપરાંત ટેક અવે લઈ જતી કંપનીઓને પણ મોટું કમિશન આપવું પડે તેવી હાલત છે. તેવામાં જો આ પરિસ્થિતિ રહી તો બાકી બચેલી ઇન્ડસ્ટ્રી પણ પડી ભાંગશે. છેલ્લા દોઢ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝને 25 કરોડથી વધુનું નુકશાન થયું છે. જ્યારે હજારો લોકો બેરોજગાર બન્યા છે.

આ પણ વાંચો: Flyover City સુરતમાં એક બ્રિજ બનાવામાં સાડા ચાર વર્ષ! પાલ ઉમરા બ્રિજના ઉદ્ઘાટનની જોવાતી રાહ

આ પણ વાંચો: Surat: મનપાના શાસકો આ તરફ પણ જરા નજર કરે! કાપોદ્રાના સ્થાનિકો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">