Surat : અસહ્ય મોંઘવારી અને ભાવવધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન, 25થી વધુની અટકાયત

અઠવા લાઈન્સ જિલ્લા કલેકટર કચેરી બહાર રાંધણ ગેસના બોટલ સાથે પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે સતત ભાવ વધારા મુદ્દે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

Surat : અસહ્ય મોંઘવારી અને ભાવવધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન, 25થી વધુની અટકાયત
Surat: City Congress protests against unbearable inflation and price hike, more than 25 detained
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 31, 2022 | 2:29 PM

Surat : ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly) ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી (Inflation)વિરૂદ્ધ ધરણા – પ્રદર્શનનો (Protests) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટર કચેરની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે મોંઘવારી વિરૂદ્ધ યોજવામાં આવેલા કાર્યક્રમને પગલે એક તબક્કે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જોકે, પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતાઓ સહિત 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિત સતત વધી રહેલા પેટ્રોલ – ડિઝલ અને રાંધણગેસના ભાવ વધારા મુદ્દે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈ, તુષાર ચૌધરી અને કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક સહિત પૂર્વ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. અઠવા લાઈન્સ જિલ્લા કલેકટર કચેરી બહાર રાંધણ ગેસના બોટલ સાથે પહોંચેલા કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે સતત ભાવ વધારા મુદ્દે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ સંદર્ભે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિત રાંધણ ગેસના ભાવમાં રોજેરોજ વધારો થઈને આવી રહ્યો છે. સરકારને કોઈ યોગ્ય નીતિ ન હોવાને કારણે વિરોધ પ્રદર્શન કરવું જરૂરી છે.

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર ખાનગી કંપનીઓના માલિકોને લાભ થાય તેમજ મોટા ઉદ્યોગપતિઓના હિતને ધ્યાને લઈને જ નિર્ણય લે છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા અને સાથે તેમને કોઈ લેવાદેવા ન હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે. સરકારે તાત્કાલિક અસરથી મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે. બીજી તરફ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 25થી વધુ નેતા – કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat : કીમ રેલવે ફાટક ફરી શરૂ કરવા સ્થાનિકોની કલેકટરને રજુઆત, ફ્લાયઓવરની કામગીરી મંથરગતિએ ચાલતા લોકોમાં આક્રોશ

આ પણ વાંચો : Pakistan : ઈમરાન ખાનની વિદાય બાદ પાકિસ્તાનની બાગડોર સંભાળી શકે છે શાહબાઝ શરીફ, જાણો કોણ છે આ વ્યક્તિ ?

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">